________________ 187 બે પુત્ર ઉત્પન્ન થયા. પૂર્વ પુણ્યના પ્રભાવથી તે બન્ને તેણીની કુક્ષિમાં અવતર્યા. તેમાં પહેલાનું નામ મધુ " અને બીજાનું નામ “કૈટભ” એવું રાખવામાં આવ્યું. રાજાએ પુત્ર જન્મને મહેસવ કર્યો. તે બન્ને પુત્ર અનુક્રમે સર્વ લક્ષણેથી લક્ષિત થઈ સર્વ અવયવમાં સુંદર, રૂપ સંપન્ન - વન વયને પ્રાપ્ત થયા. કુળ, રૂપ અને ગુણથી યોગ્ય એવી કન્યાઓ સાથે રાજાએ તેમનું પાણિગ્રહણ કરાવ્યું. એક વખતે તે બંને પુત્રને મનોહર નવ ૌવન સંપન્ન જઈ, રાજાએ આ પ્રમાણે ચિંતવવા માંડયું- આ માનુષ જન્મ અને મનહર કુળ પ્રાપ્ત થવું દુર્લભ છે, તેમાં પણ પ્રાણુને રા જ્યની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. પુત્ર પાત્રને યોગ, હાથી, રથ, ઘોડા વિગેરે, તથા પ્રતાપ અને શાર્ય એ કદિ પણ પ્રાપ્ત થતાં નથી. તથાપિ એ સર્વ સુખ મને પ્રાપ્ત થયું છે. એ કદિ સર્વ પ્રાપ્ત થાય, પણ જૈનધર્મની પ્રાપ્તિ તે, પુણ્યહીન પ્રાણીને કદિ પણ મળતી નથી. આ સંસારમાં પ્રાણીને જે સુખ જોવામાં આવે. તે સર્વ સુખ મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust