________________ 183 ભવની સ્ત્રી જાણી, તે વિસ્મય પામી ગયો. તેણે ગુપ્ત રીતે રહી રાજકન્યાને કહ્યું. રાજકન્યા ! કેમ પૂર્વનો ભવ ભુલી ગયાં? મેહથી તમને જે દુઃખ થયેલ, તે શું વિસ્મરણ થઈ ગયું? હવે આ પાછું નિરર્થક સ સારનું કારણરૂપ પાણિગ્રહણ કેમ કરો છો ? તમે ત્રણ જન્મ સુધી નારકીનું અને ચાંડાલ તથા કુતરીના ગે થયેલું દુઃખ શું ભુલી ગયાં ? તે દેવતાનાં આવાં વચનથી રાજકન્યાને પૂર્વ ભવનું મરણ થઈ આવ્યું. તત્કાળ પ્રતિબોધથી પરમ વૈરાગ્ય પામી, ત્યાંથી પાછી વળી. સત્વર વનમાં જઈ, વૈરાગ્ય વિભૂષિત એવી તે બાળાએ શ્રી શ્રુતસાગરસૂરી પાસે નિર્મળ દીક્ષા ગ્રહણ કરી. કન્યાને સ્વયંવરમાંથી પાછી વળેલી જોઈ, " સહસા આ શું થયું ?" એમ સર્વ રાજાઓ વિસ્મય પામી ગયા. રાજાએ પણ પિતાની પુત્રીનું એ વૃત્તાંત જાણ્યું નહિ. પહેલો દેવતા કન્યાને બંધ કરી, સ્વસ્થાને ચાલ્યો ગયો. એ રાજકન્યા સાધ્વીની મહા દીક્ષા ચીરકાળવાળી છેવટે સ્ત્રી વેદ છેડી દેવલેકે દેવતા થઈ. શ્રી જૈન ધર્મના પ્રભાવથી માણસને શું શું પ્રાપ્ત નથી થતું? અચૈત્ સર્વ વસ્તુ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે જાણીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust