________________ 180 તે સાંભળે. કારણ વિના કોઈ કાર્ય કદિ પણ . . તું નથી. એ શુની અને ચાંડાલ તમારાં પૂર્વ જન ન્મનાં માતા પિતા છે. તેથી તેમની તમારી ઉપર અને તમારી તેમની ઉપર પ્રીતિ થઈ છે. સર્વ પ્રાણી માત્રને અંતરાત્મા જ્ઞાની હોય છે. મુનિનાં વચન સાંભળી તેઓ બેલ્યા- વિભુ ! એ અમારાં પૂર્વ જન્મનાં માતા પિતા શી રીતે થાય ? મુનિ બેલ્યા– શ્રેષ્ઠી પુત્રો! તમારાં એ માતા પિ. તા શી રીતે થાય, તે સાંભળે. પૂર્વે શાલિગ્રામમાં બ્રાહ્મણ કુળને વિષે " અગ્નિલા” અને " સોમશર્મ” નામે તે વેદ વિદ્યામાં પ્રવીણ સ્ત્રી પુરૂષ હતાં. તેઓ પ્રતિગ્રહ લઈ દ્રવ્ય મેળવતા, યજ્ઞ કતા, હિંસાથી મનને નિંદિત કરતા, અને શ્રી જિન ધર્મના દ્વેષી હતા. તમે તેમના " અગ્નિભૂતિ " અને વાયુભૂતિ " નામે ત્રીજે ભવે પુત્ર થયા હતા. જાતિના દર્ષથી તમે આ જગતને જીર્ણ તૃણના જેવું ગણતા હતા. તમે કાર્યને વશ થઈ શ્રી જિનંદ્ર કથિત ધર્મને પ્રાપ્ત થયા અને તમારાં માતા પિતા મૃત્યુ પામીને પહેલી નરકે ગયાં. ત્યાં તાડન, પાલન, છેદન અને ભેદન વિગેરેનાં દુઃખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust