________________ 171 રો. પ્રતિહારના નિવેદનથી રાજાની નજીક આવ્યા. આગળ ભેટ ધરી વિનયથી બે - સ્વામી ! મસ્તકોકિલથી કૂજિત એવા રમણીય વનમાં કઈ સંયમશ્રીથી વિભૂષિત એવા મહા મુનિ આવ્યા છે. નરાધિપ! તેમના આગમનથી આખું વન નવપલવિત થયું છે. વનપાળનાં આ વચન સાંભળી રાજા હર્ષ પામે. તે દિશા તરફ સાત આઠ પગલાં ચાલી પક્ષમાં વિનયથી મુનિને પ્રણામ કર્યો. પુણ્યથી પ્રેરાએલા રાજાએ વનપાળને સોળ આભૂષણ આપી સંતુષ્ટ કર્યો. આનંદનો ભેરી વગાડી લોકોને મુનિ આગમનની જાણ કરી. તે દવની સાંભળી લેકો હપંથી એકઠા થયા. પૂજાનાં ઉપકરણ લઈ લેકો રાજાના દ્વારની દેઢી આગળ જિન ભકિતએ વશ થઈ આવવા લાગ્યા. મુનિને આવેલા જાણું, રાજા પુરજન સાથે લઈ ગજેન્દ્ર ઉપર આરૂઢ થઈ મુનિને વાંદવા ચાલ્યો. રાજાને જતો જોઈને નગરીના બધા લેક મુનિને વાંદવા ઉત્સાહથી પછવાડે ચાલ્યા. નૃપતિએ વનમાં આવી મુનીશ્વરને જોઈ, મુનિ ભ. ક્સિથી ભરપૂર થઈ, રાજ ચિન્હ છોડી દીધાં. ગુરૂને પરિવાર સાથે ત્રણ પ્રદક્ષિણા કરી, ગુરૂ ભક્તિવડે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust