________________ 170 Mના સમૂહ ખીલી નીકળ્યાં. પલ્લવની શ્રેણી શેભવા લાગી. વૃક્ષોને નવીન ફળ આવવા લાગ્યાં. તે મુનીંદ્રના સમાગમથી તે વન સર્વ ઋતુઓના પુષ્પોથી ભરપૂર અને ભમતા ભ્રમરાઓથી આકુલ વ્યાકુલ . થઈ ગયું. ગાય વાઘનાં બચ્ચાં સાથે, મારી હંસનાં બાળક સાથે, મૃગલી સિંહનાં શિશુ સાથે, અને મયૂરી સર્ષના કણ સાથે રમવા લાગી. બીજાં પણ પ્રાણીઓ મુનિના પ્રભાવથી જાતિ વૈર છોડી પ્રેમથી પૂર્ણ થઈ ક્રીડા કરવા લાગ્યાં. ત્યાં વનને પાળક આવ્યું. ત્રડતુના સમય વિના વનનાં વૃક્ષને ફલિત થયેલાં જોઈ મનમાં વિસ્મય પામી ચિંતવવા લાગ્યો. આ વિપરીત બનાવ કેમ બ ? શું શુભ અશુભ તે નહીં થાય ? એમ ચિંતાતુર થઈ આગળ જુએ ત્યાં મુનિના પરિવાર સહિત ઉત્તમ મુનિશ્વર જોવામાં આવ્યા. તે મહા યેગીને જઈ વનપાળને અતિ હર્ષ થઈ આવ્યું. વનને બનાવ અને તેના વિસ્મયનું કારણ તે મુનિનું મહાત્મ્યજ એમ જાણી લીધું. પછી સર્વ ઋતુઓનાં પુષ્પ ફળની ભેટ લઈ તે ઉતાવળે રાજારમાં આવ્યા. દૂરથી રાજાને પ્રણામ કરી ઉભે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust