________________ 166 હતી. કેઈ પાપી પુરૂષ તેમાં જોવામાં આવતો ન હોતે. જેમાં સુવૃત્ત, નિષ્કલંક અને કળાવાન લેક પૂર્ણ ચંદ્રના જેવા હતા. તે ચંદ્રની જેમ ક્ષયી અને ને દોષાકર નહોતા. ગીત, નૃત્ય કળા અને લીલા વિલાસથી પ્રકાશિત એવી કમનીય અંગવાળી કામનિઓ જ્યાં ઘેર ઘેર છે. જ્યાં ષટ્ કર્મમાં ત~૨, વિચક્ષણ, ઉદાર, ગુણી, શૂરવીર અને જૈન ધર્મમાં તત્પર એવી પ્રજાઓ રહે છે. જેમાં તીર્થકરો અને ચક્રવર્તિઓની ઉત્પત્તિ છે, અને જ્યાં ક્ષણે ક્ષણે દેવતાઓએ ઉત્સવ કરેલા છે, એ અયોધ્યા નગરીનું શું વર્ણન કરવું ? તે નગરીમાં શત્રુઓના સમૂહને નાશ કરનાર અને શરણાર્થિન રક્ષક અરિજય નામે રાજા હતે. તેના દરબારમાં અનેક સહસ્ત્ર હાથીઓ, અધ્ધા અને ને રથ એટલા હતા કે, તેની સંખ્યા જાણવામાં આવતી નહોતી. કુલીન, શક્તિવાળા, રાજ ભક્ત, કુળ પરંપરાએ આવેલા, અને શત્રુઓના વંશને વિનાશ કરનારા, તે રાજાને સેવક હતા. રાજા પિતે ગુણ તથા લક્ષણથી સંપૂર્ણ, દ્રવ્યમાં કુબેર જેવે, પ્રજા પાળવામાં દક્ષ અને દોષ વિનાનો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust