________________ 161 ત્પન્ન થાય તેવા નિંઘ અને પાપવાળા પદાર્થોને છેડી દેવા. બુદ્ધિમાન પુરૂષે હમેશાં પરોપકાર કરવ. પર નિંદાનું કાર્ય, મન વચન કાયાથી છોડી દેવું. આ પ્રમાણે શ્રી જિન શાસનમાં ધર્મ કહેલ છે. તે ધર્મ ભવ્ય જીવોને સંસારને તારવા સમર્થ થાય છે. તમે બન્ને આ પ્રમાણે ધર્મનું કારણ મનમાં જાણી સર્વ પાપનો વિનાશ કરવાને ધર્મનાં કાર્યો કરે. આવાં મુનિનાં વચન સાંભળી તે બને માતા પિતા સાથે ભક્તિથી ધર્મનાં કાર્યો કરવા લાગ્યા. નિર્મલ જિન ભાષિત સમ્યત્વે પ્રાપ્ત કરીને માતા પિતા સહિત તેઓ મનમાં સંતોષ પામ્યા. ધર્મ રત્ન મેળવીને તેને સંતોષ ન થાય ? અમૃત પાન કરવાથી સર્વ પ્રાણુઓને સંતોષ થાય છે. પછી તે બન્ને વિપ્ર કોઈથી નિંદાતા અને કેઇથી સ્તવાતા મુનિને નમી બંધુઓથી આકુલ એવા નગરમાં આવ્યાં. શ્રી જિનેંદ્રના ચરણ કમલની રજથી જેનાં મસ્તક પવિત્ર થયાં છે, એવા તે બને જૈન ધર્મમાં આસક્ત થઈ સુખે ઘેર રહેવા લાગ્યા. શ્રી જિન ધર્મના મહત્સાહમાં, શ્રી જિન ચત્યમાં અને ગુરૂને વંદનાદિ કરવામાં તેઓ નગરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust