________________ 153 વિવાદ થઈ પડ્યો. તેમાં એકે કહ્યું કે, હું પ્રથમ શા માટે મારું ? મુનિ હત્યાનું પાપ મને લાગે. બીજે કહ્યું, હું મુનિશ્વરને શા માટે મારૂં? મને પણ મુનિ ઘાતનું પાપ લાગે. પિતાના શાસ્ત્ર જ્ઞાનના બળથી તેમણે ચિરકાળ વિવાદ કર્યો. કહેવત છે કે, " જ્ઞાનવાન શત્રુ હોય તે સારો, અને મૂર્ખ હિતકારી હોય તે નહીં મારે.” આ પ્રમાણે ચિરકાળ મનમાં વિચારી તે બન્ને કેથી મનિને એકી સાથે મારવા આગળ ધસી આવ્યા. ભયંકર ભગુટી ચડાવી તેમનાં નેત્ર રાતાં થઈ ગયાં. યમરાજ જેવા, દુષ્ટ ચેષ્ટાવાળા અને નિર્દય પાપીઓ હથીયાર ઉગામી મુનિને મારવા તૈયાર થાય છે, તેવામાં કોઈ યક્ષ વનમાં રમતો રમત ત્યાં આવી ચડ, મુનિને એકી સાથે મારવા તૈયાર થયેલા તે બને બ્રાહ્મણોને જોઈ, તેના મનમાં દયા આવી. તેણે ચિંતવ્યું કે, આ નિરપરાધી મુનિ યાન કરે છે, તેમને આ દુષ્ટ પાપી કેમ મારવા તૈયાર થયા છે ? શત્રુ તથા મિત્રમાં સમાન બુદ્ધિ રાખનારા, સર્વ પ્રાણીઓનું હિત કરનાર આ ગીશ્વરને આ પાપીઓ કેમ મારે છે ? આવા પવિત્ર સાધુની રક્ષા 20. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust