________________ નું આરાધન કર્યું હતું? તેની વિભૂતિ કેવી ઉત્તમ હતી? તેનામાં યુક્તિ, શક્તિ અને વીર્ય કેવાં હતાં? એ સર્વ આપના પ્રસાદથી સાંભળવાને ઇચ્છું છું. હે વિભુ ! તમે સંદેહરૂપ અંધકારને છેદવામાં સૂર્યરૂપ છે, તેથી મેં મારી અભિલાષા પૂર્ણ કરશે. અને નંતર અમૃત સમાન દેશના રૂપ વાણીથી પ્રભુએ કહ્યું–હે શ્રેણિક ! પ્રધુમ કુમારનું ચરિત્ર પાપના નાશનો હેતુ છે. પૂર્વ પુણ્યના ઉદય વિના એવું ચરિત્ર સાંભળવામાં આવતું નથી. તેથી ભવ્ય પ્રાણીઓએ મેક્ષનું કારણરૂપ એ ચરિત્ર અવશ્ય સાંભળવા યોગ્ય છે. તે સાંભળવાથી મનુષ્યના હૃદયમાં પ્રબળ ધર્મ જીજ્ઞાસા ઉત્પન્ન થાય છે. ભવ્ય પ્રાણીઓને બંધ કરવા માટે એ ચરિત્ર કહું છું. હે બુદ્ધિમાન શ્રેણિક ! સાવધાન થઇ મનને સ્થિર કરી એ કૃષ્ણના પુત્રનું ચરિત્ર સાંભળજે. તે સમયે સમસ્ત પરિષદા સ્થિર ચિત્તવાળી અને દ્રઢ આસનવાળી થઈ ગઈ. સજ્જનો ઉત્તમ પુરૂષનાં ચરિત્ર સાંભળવા ઇચ્છે છે. પછી શ્રેણિક રાજાએ ઉજ્વળ અને દિવ્ય ચરિત્ર પુછવાથી ભગવંત વઇર્ધમાન સ્વામીએ તે પ્રધુમ્રનું ચરિત્ર કહેવા માંડયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust