________________ 139 માર્ગ નીચે સત્યકિ નામના કોઈ મુનિ રહ્યા હતા, તેમણે તે સાંભળી પુછયું– તમે આવાં અભિમાનનાં વચન બેલતા ક્યાં જાઓ છો ? તેઓએ મદથી પિતાનું જવાનું કારણ તેની આગળ જણાવ્યું. નંદિવર્ધન નામે કોઈ મુનિ નાયક આવેલ છે, તેને વિદ્યા વાદમાં જીતવાને અમે જઈએ છીએ. તે મુનિ બોલ્યા– દયા રસથી ભરપૂર અને ક્રિયારૂપ કમળથી નિર્મળ નંદિવર્ધનરૂપ સરોવરને મલીન કરવા પાડાની જેમ, તમે મનમાં અતિ ગર્વ ધરતા કેમ જાઓ છો ? પ્રથમ અહીં મારી સાથે વિવાદ કરે. તમારા મનોરથને હુંજ પૂરા કરીશ. તેમનું વાદહેતુ ઉત્કૃષ્ટ વચન સાંભળી તે મદ્દત બન્ને જણ તેની પાસે આવ્યા. તેઓ બેલ્યા- અરે નિર્લજ ! અરે વેદ માર્ગથી પરગમુખ, વૃથા ગાળ કેમ આ પે છે? હે યતિ ! જો તું જ્ઞાતા, ગુણવાન અને વિદ્વાન હો તે, અમારી સાથે વાદ કરવા સજ્જ થા. પુનઃ કેધથી કહ્યું, હે મૂઢ ! ગર્વવાળાં વચન બેલવાથી શું વળવાનું છે? જે તે વિદ્વાનોની સમક્ષ અમને વાદમાં જીતી લે તો ખરે. વળી આપણા વાદમાં જે હારી જાય, તેને શે નિગ્રહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust