________________ 138 - કરવા બેઠા છે. પોતાના શાસ્ત્રનાં દ્રષ્ટાંત આપી વેદનું ઉમૂલન કરે છે. અમે પોતાના શાસ્ત્રના બળથી તેમને વાદમાં જીતી એવું કરીશું કે, તેઓ વનમાં એક ક્ષણ વાર પણ ટકી શકશે નહીં. તે સાંભળી માતા પિતાએ તેમને વાર્યો. કહ્યું કે, પુત્ર ! તમારે વનમાં જવું નહીં. તેઓ વિવિધ દેશમાં ફરી પંડિત થયેલા અને અતિ ચતુર હોય છે. જૈન મુનિઓની સાથે કેઈથી વિવાદ કરી શકાતું નથી. તેઓ સર્વ શાસ્ત્રમાં કુશળ અને હમેશાં પઠન પાઠનમાં તત્પર હોય છે. માતા પિતાએ આ પ્રમાણે કહ્યું, તે સાંભળી મનમાં ગર્વ ધરતા તે અભિમાની પુત્ર આ પ્રમાણે ઉદ્ધત વચન બેલ્યા– માતા પિતા ! તમે આવું દીન વચન કેમ બેલે છે ? આ પૃથ્વિ ઉપર અમને વિવાદમાં જીતનાર કોણ છે ? અમે હમણાંજ વનમાં જઈને તેમને અવશ્ય જીતી લઈશું. આ પ્રમાણે કહી માતા પિતાએ વાયા છતાં તેઓ ઘરમાંથી નીકળ્યા. જ્યાં મુનિશ્વર હતા તે દિશા પ્રત્યે ચાલ્યા. તેમની સાથે બીજા ઘણા ઉખલ પુરૂષો હતા. નંદિવર્ધન મુનિને જીતવા માર્ગે ચાલતા તેઓ ગનાં વચન બેલતા હતા. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust