________________ 132 વૃક્ષ પુષ્પ અને ફળવાળાં થશે. એવી રીતે વનમાં સર્વ વૃક્ષો હર્ષદાયક થઈ પડશે. વળી નગરમાં મુંગાં માણસો વિચિત્ર વચન બોલનારાં થઈ જશે. કુબડાં માણસ પાંસરાં થઈ જશે. કાણાં આંખવાળાં થશે. આંધળાં મૃગના જેવાં નેત્રવાળાં થશે. કંઠ વગરનાં સુકંઠી, કુરૂપવાળાં સુરૂપી અને લક્ષણ વગરનાં લક્ષણવાળાં થઈ જશે. શરીરના વર્ણ વગરનાં વર્ણવાળાં અને બધિર, સાંભળનારાં થઈ જશે. તેમજ રુકિમણીના શરીરમાં રેગમ થઈ આવશે. એ પ્રધુમ્ન કુમાર આવતાં એ પ્રમાણે થઈ જશે. હે. રાજા ! આ સર્વ શુભ સૂચક ચિન્હ થાય, ત્યારે જાણવું કે, પ્રધુમ્ન કુમાર આવ્યો. હે રાજા ! તમે જે હાથમાં રાખેલ છે, તે જગતમાં માન્ય અને પ્રખ્યાત એવા નારદજી મુનિ છે. નિર્વાણ માર્ગમાં કુશળ એ નવમા નારદજી છે. તે દેશ વ્રતધારી નારદજી કૃષ્ણના હિત માટે અહીં આવેલ છે. હે ચક્રવર્તિ ! આ પ્રમાણે તે કૃષ્ણનું સંક્ષેપમાં ચરિત્ર છે. પછી શ્રી જિન ભગવંતને નમી ચક્રવત્તિ વચન બોલ્યાકૃપાળુ નાથ ! મારી એક વિનંતિ સાંભળે. હવે તે કૃષ્ણના પુત્રનું વૃત્તાંત મને કૃપા કરી કહો. તે કુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust