________________ " 131 પિતાની કનકમાળા રાણી સાથે ત્યાં આવી ચડે. ત્યાં તે પુણ્ય મેગે જીવતા બાળકને તે રાજાએ ગ્રહણ કર્યો. હર્ષ સાથે તેને પિતાના નગરમાં લઈ ગયો. તે દિવસે દિવસે ચંદ્રની જેમ વધવા લાગે. તેનું પ્રદ્યુમ્ન એવું પૃથ્વિમાં વિખ્યાત નામ પાડ્યું. તે પ્રદ્યુમ્ન સોળ વર્ષે સોળ લાભ સાથે બે વિદ્યા સાધી પાછો ઘેર આવશે, તે સર્વ લક્ષણવાળે પુત્ર માતા પિતાને મળશે, તે કુમાર ઘેર આવશે, ત્યારે જે શુભ ચિન્હ થશે, તે સાંભળે તે આવતાં રુકિમણીના બે સ્તનમાંથી ૫યની ધારા છુટશે, વનના અખિલ પ્રદેશમાં પણ સર્વ શુભ સૂચક થઈ જશે. સુકાઈ ગયેલી વાપિકાએ જેમાં પ્રફુલ્લિત કમળ છે, એવી થઈ જશે. ઘર આગળ સુકાઇ રહેલ અશોક વૃક્ષ મૂળમાંથી ખીલી પલ્લવ ગુછવડે પૂરિત થઈ જશે. વનની અંદર રહેલ તમાલનાં વૃક્ષ, પત્ર, પુષ્પથી પૂર્ણ અને ગંધથી આકર્ષાએલાં મધુરકના ગુંજારવડે આકુળ વ્યાકુળ થઈ જશે. બીજાં બધાં વૃક્ષે પિતાને સમય ઓળંગી સર્વ જંતુઓ જેમાં વાસ કરી રહ્યાં છે, તેવાં થઈ જશે. કોકિલાનો મનોહર નાદ થઈ જશે. મયૂરનું તાંડવ નૃત્ય થવા માંડશે. આઝ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust