________________ 128 કાળનો પ્રભાવ છે. ત્યાં કેવાં માણસો હોય છે તે સાંભળે. પેહેલે કાળે [ આરે ] ત્રણ ગભૂતિ માત્ર ઊંચા અને ત્રણ પલ્યોપમની આયુષ્યવાળા બધાં માણસે થાય છે. બીજે આરે બે ગભૂતિ માત્ર ઉચા અને બે પલ્યોપમની આયુષ્યવાળાં માણસો થાય છે. ત્રીજે આરે એક કોશ ઉંચા અને એક પપલ્યોપમની આયુષ્યવાળાં માણસે આ ભરત ક્ષેત્રમાં થાય છે. તેમાં યુગની આદિમાં ત્રીજા આરાના પ્રાતમાં સર્વ જિનના અગ્રણી શ્રી ઋષભ નામે તીર્થકર થયેલા છે, તેમનું રાશી લાખ પૂર્વનું આયુષ્ય અને પાંચસો ધનુષ્યનું દેહમાન હતું, તે પછી અનુકમે ચોથા આરામાં મોક્ષ માર્ગનો ઉપદેશ કરનારા એકવીશ તીર્થકર થયેલા છે. તે પછી પૃથ્વીમાં અવસર્પિણી કાળ વિસ્તાર પામતાં હરિવંશમાં આભષણરૂપ બારિશમા તીર્થકર થયા, તે કાળે જિન ભગવંતને કહેવા પ્રમાણે સર્વ લેકની કાયાનું પ્રમાણ દશ ધનુષ્યનું હોય છે, હે રાજા ! આ નારદ નામે દેશ વ્રત ધારી મુનિ તે કાળના છે. તે, મને ઉદ્દેશીને અહિં આવ્યા છે. તે પછી પાંચમે આરે સાડાત્રણ હાથની કાયાવાળા અને સો વર્ષની આયુષ્યવાળા કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust