SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 125 સુર અસુરો જિન ભક્તિથી પ્રેરાઈને ત્યાં આવ્યા હતા. તે સુંદર નગરનું વિશેષ શું વર્ણન કરવું ? ત્યાં નારદજીએ દૂરથી એક મનોહર સમવસરણ જોયું. સુર અસુરોએ વંદિત એવા શ્રી સીમંધર પ્રભુનું તે સમવસરણ હતું. મનુષ્ય, દેવતા અને નાગપતિના અસંખ્ય ગણેથી તે પૂર્ણ હતું. જાણે બીજું શૈલેકયે એકત્ર થઈ અહીં મળ્યું હોય, તેવું તે સમવ સરણ જોઈ નારદજી હર્ષ પામતા આકાશમાંથી ઉતા. જેના મનમાં રૂકિમણના કાર્યની પ્રતિજ્ઞા છે, એવા નારદજીએ પરમ ભક્તિથી તે સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં તીર્થકર પ્રભુને જોઈ, તેમનાં દર્શન નથી હર્ષ પામતા નારદજી, પ્રભુની નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. આ છે કે તે એ - “દેવતાને સેવવા યોગ્ય, કામદેવશ્ય હાથીને પરાસ્ત કરવાને સિંહ સમાને એવા આપ દેવાધિ દેવને નમસ્કાર છે. ભવ્ય જીવરૂપ કમલમાં સૂર્ય સમાન, કલંક–દેષને ટાળનાર અને મોહનો ક્ષય કરનાર એવા તમને નમસ્કાર છે. સુર અસુરેના સહેજેમનાં ચરણને વદેલાં છે, અને મેહરૂપ અંધકારને દૂર કરવા જે ચંદ્ર સમાન છે, એવા તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy