________________ આવેદ, શાસ, ધ્યાન અને ગીતમાં આપજ શ્રેય છે. તેજથી કેટી સૂર્ય સમાન અને કાંતિથી કોટી ચદ્રની સદશ છે. તમારાં દર્શન માત્રથી જ મનુષ્યનાં પાપ પ્રલય થાય છે. ત્રણ લેકમાં સુખ કરનાર શંકર છે. ત્રણ જગતમાં વ્યાપક વિષ્ણુ છે. બ્રહ્મચર્યથી પરબહા છે, પાપરૂપ પંકને હરનાર હર છે. સંસારના આવાસથી મુકો અને આપના અશ્રિતના તારક છો. હે દેવાધિદેવ ! આપ લક્ષીનાથ, જગન્નાથ, ધર્મનાથ અને દયાનિધિ છે. તેમજ સુખ સંતતિ પરંપરાના વધારનાર વર્ધમાન સ્વમી છે. આ પ્રમાણે સ્તુતિ કરી જગન્નુરૂને પ્રણામ કરે શ્રેણિક રાજાએ પરમ ભક્તિવડે વિધિપૂર્વક પ્ર ની પૂજા કરી. જળ, ચંદન, પુષ્પ, સૂપ, દીપ, અક્ષત, નૈવેધ, ફળ વિગેરેથી અષ્ટ પ્રકણો પૂજા કરી સમવસરણમાં મનુષ્યની પર્ષદામાં જઈ ગ્ય સ્થાનકે બેઠા. ત્યાં બેસી આ પ્રમાણે ધર્મ દેશના શ્રવણ કરી, સાગાર અને અણગાર એવા બે પ્રકારનો ધર્મ છે. તેમાં અણગાર ધર્મ યતિને છે. અને સાગાર ધર્મ ગ્રહસ્થનો છે. યતિ ધર્મથી મોક્ષ પ્રાપ્ત થાય છે, અને ગ્રહસ્થ ધર્મથી સ્વર્ગ મળે છે. શ્રી P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust