________________ વગડાવી, નગરના જન સમુદાયને એકત્ર કરી પરિ વાર સાથે રાજા, પ્રભુને વંદના કરવા ચાલ્યો. દૂરથીજ સમવસરણ જોઈ તે હાથી ઉપરથી ઊતરી પડે, અને વેગથી પંચાભિગમનો ત્યાગ કર્યો. મા અહંકારને સ્તંભન કરનાર, ભગવંતના પ્રભાવથી માન રહિત થયે, અને ભાવનાની ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભૂતિ થયો. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી હસ્તકલા જોડી પરમ આલાદથી પૂર્ણ થઈ રાજાએ ગદ્ય પદ્ય વડે નીચે પ્રમાણે સ્તુતિ કરી. હે વિભુ ! આપ ત્રણ જગતના સ્વામી છે, સપુરૂષોને વંદના કરવા યોગ્ય, અને આ ઘેર સંસારમાં નાવ તુલ્ય છે. હે નાથ ! તમે કામદેવરૂપ શત્રુના વિજેતા અને મોહરૂપ મલ્લને વિનાશ કરનારા હો જાણે બીજ ચિંતામણિ હો તેમ મન ચિંતિત અને આપનાર છે. તેમજ આપ જ્ઞાનમૂર્તિ, તેજોર્તિ, સ્વયંભૂ, સ્વયંબધ અને સહજાનંદથી પરિપૂર્ણ છે. હે સ્વામી ! આપે સમગ્ર દે'ષને દૂર કર્યા છે. આપ જરા મરણથી વર્જિત છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીના આપ ભંડાર છે, અને માન તથા માયાથી રહિત છે. જૈન P.P. Ac. Gunratnasuri M.S. .. Jun Gun Aaradhak Trust