________________ વંતના પ્રભાવથી પર્વતનું અખિલ વન લીલોતરીથી સુશોભિત થઈ ગયું. પ્રાણીઓના પરસ્પર વૈરભાવ દૂર થઈ ગયા. વિશેષ વૈભવવાળું આ વનને જોઇ વનનો સ્વામી વનપાળક વિચાર કરવા લાગે - ને આસપાસ તે જેતે ભમવા લાગ્યો. આમ તેમ ભમતા ભગવંતનું સમવસરણ જોવામાં આવ્યું. તેનું દર્શન થતાંજ વનપાળ હર્ષથી પૂર્ણ થઈ ગયે. વનનાં વિવિધ જાતનાં ફળ લઈ પ્રતીહાર દ્વારા કહેવરાવી રાજ્ય સભામાં આવ્યું. વિધિથી રાજાની આગળ ફળની ભેટ મુકી, નમન કરી બોલ્યો. મહારાજ ! આપના વનમાં કેવળ જ્ઞાનથી સુશોભિત એવા શ્રી વર્ધમાન સ્વામી પધાર્યા છે. તેમના પ્રસાદથી આપ દીર્ઘાયુષી અને સર્વ ગુણના આધારરૂપ થાઓ, તથા ધન ધાન્યાદિ સમૃદ્ધિ વૃદ્ધિ પામે. પ્રભુને પધારેલા જાણી શ્રેણિક રાજા શિધ્રપણે સિહાસનથી બેઠો થયો. સમવસરણની દિશા તરફ સાત આઠ પગલાં ચાલી પ્રભુને પ્રણામ કર્યા. પક્ષમાં વિનય કરવો, એ સજજનનું લક્ષણ છે. પાછો રમણીય સિંહાસન ઉપર બેસી વનપાળને સોળ આ ભૂષણે વધામણીમાં આપ્યાં. પછી આનંદની ભેરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust