________________ રાજગૃહ નામે નગર છે, જે જિનેંદ્રના મંદિરથી પૃથ્વિ ઉપર સ્વર્ગની અલકાપુરી જેવું શેભે છે. તે નગરને શ્રેણિક નામે પૃથ્વિમાં પ્રસિદ્ધ રાજા હતો. જે શત્રુઓના સમૂહને જિતનાર, નિર્મળ, વિવેકી, દુષ્ટનું નિકંદન કરનાર, સાધુજનને પાળનાર, શ્રાવકના આચારવાળે અને સમકિતથી વિભૂષિત હતે. તેને સરલ અંતઃકરણની ચલણા નામે રાણું હતી. જેણુએ પોતાની રૂપ સંપત્તિથી દેવાંગનાના રૂપને જીતી લીધું હતું. તે પાપને ભય રાખનારી, ગુણથી વિખ્યાત અને ગુણરાશિથી પરિપૂર્ણ હતી. તે સમકિત પ્રાપ્ત કરી શ્રાવકના આચારથી નિર્મળ હતી. પિતૃકુળ અને પતિકુળથી શુદ્ધ હતી. પતિ ઉપર ભરપૂર સ્નેહ રાખનારી હતી. તેમજ જિનમાર્ગમાં કુશળ અને સતીના ગુણની ધુરંધરા હતી. તેની સાથે સર્વદા વિવિધ સુખને ભગવતે રાજા સુખસાગરમાં મગ્ન થઈ નિર્ગમન થતા કાળને જાણતો નહોતો. એક વખતે વિશાલ ઉદ્યાનવાળા વિપુલ નામના પર્વત ઉપર શ્રી વર્ધમાન સ્વામી આવી સમસ્યા તે પ્રભુ મુનિવરોઓ સહિત, ગણધરોએ સેવેલા અને શરીર સેંદર્યતાશ્ય લક્ષ્મીથી સુશેષિત હતા. ભગ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust