________________ 116 ઈ પણ સંશય રાખવે નહીં. કોઈ શત્રુઓ હરે તે બાળક કોઈ ઠેકાણે હયાત છે, કાળાંતરે તે પાઆવશે. આ પ્રમાણે મંત્રીઓનાં વચન સાંભળી કૃષ્ણ શોક કરે છોડી દીધો. પછી જેના મુખ ઉપર ચપળ વાળ આવેલા છે એવી કિમણ પ્રત્યે બે ત્યા- હે વિચક્ષણું ! તમારા દીર્ધાયુ પુત્રનું મરણ થયું નથી, તેથી તમારે શેક કરવો નહીં. હે પૂર્ણ ચંદ્રમુખી ! મારા પ્રમાદને લઇ કે વૈરીએ તે બાળકને હરી લીધું છે. હે મૃગાક્ષી ! શોક કરે છોડી દે. સુભટોના સમૂહ મોકલી સમગ્ર પૃથ્વિમાં શેધ કરાવી, હે સુવદના ! હું તમારા પુત્રને તમારા ઉત્સંગમાં લાવી આપીશ. જેણીનાં નેત્ર શેકથી આકુલ છે, એવાં રૂકિમણીને રૂદન કરતી અટકાવી કૃષ્ણ મેટા સૈન્ય સાથે ઉત્તમ સુભટોને શેધ માટે મોકલ્યા. દુર્લંઘ કવચવાળા, શૂરા, તીણ આયુધને ધરનાર, નવ વૈવનથી યુક્ત, અશ્વ ઉપર બેઠેલા, સૈન્યવાળા, સારા વંશ તથા કુળમાં ઉત્પન્ન થયેલા, અને સત્ય વ્રત ધરનારા એવા વીર સુભટોને પુત્ર ની શેધ માટે પ્રત્યેક દિશામાં મોકલ્યા. તે સુભટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust