________________ 113 કુળ રીતિ પ્રમાણે વિનય કરી પાછાં મૂછ પામી ગયાં. " પ્રાણ સમાન સંબંધી જન જોવામાં આવવાથી માણસને પાછું વિશેષ દુઃખ પ્રગટ થાય છે.” પુનઃ શીત ઉપચારથી રુકિમણની મૂછો દૂર કરવામાં આવી. માન પામી રૂકિમણી પાછી વિલાપ કરવા લાગી. કૃષ્ણ દુઃખી થઈ તેણીની સામે બેઠા. તે જોઈ રુકિમણી બાળકને વિશેષ સંભારી વિલાપ કરતી કૃષ્ણ પ્રત્યે બેલી– સ્વામી ! તમારા જેવા સમર્થ પ્રાણનાથ છતાં મારે બાળક કેમ ગયો ? નાથ ! મારાં અભાગે મારે પુત્ર માર્યો ગયો. હું મંદ ભાગ્યવાળી શું કરું? પુત્ર વગરની બની ગઈ. એમ કહેતી રુકિમણી વિવળ મન કરી પૃથ્વિ ઉપર આળેટવા લાગી, પડવા લાગી અને બે હાથે છાતી કેટવા લાગી. છુટા કેશ મુકી એ બાળા મુક્ત કંઠે રૂદન કરવા લાગી. હું શું કરું ? કયાં જાઉં ? અને કેમ ધીરજ રાખું ? એમ કહેવા લાગી. રૂકિમણુને વિલાપ કરતી જોઈ, કૃષ્ણ અત્યંત દુઃખી થઈ ગયા. પછી પિતાની વિલાપ કરતી પ્રિયાને કણે કહ્યું - દેવી ! મારૂં વચન સાંભળે. મારા પ્રમાદને લીધે તમારે બાળક ઘરમાંથી હરાયે છે. હવે હું મૂઢ શું 15 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust