________________ 102 નામાં જણાઈ આવતું હતું. પિતાના ચરમ શરીર વિડે તેણે દૈત્યરૂપ મહા શત્રુને જીતી લીધું હતું, આવા ગુણયુક્ત બાળકને જોઈ રાજાએ તે બાળકને ભૂમિતલ ઉપરથી હાથમાં લીધે. તેને લઈ રાજા ચિંતા કરવા લાગ્યો. આ અતિ પૈઢ કુળમાં ઉત્પન ન્ન થયેલે ભાગ્યવાન બાળક કોણ હશે ? ક્ષણ વાર 2 વિચારી તેણે પોતાની સ્ત્રીને કહ્યું– પ્રિયા ! સુ દર શરીરવાળા આ બાળકને ગ્રહણ કર. વહાલી ! તું પુત્રની અર્થી છું. તારે પુત્ર નથી માટે આ સર્વ ગુણનિધિ બાળકને સ્વીકારી લે. આ પ્રમાણે કર્ણમાં અમૃતરૂપ આલાદક વચન સાંભળી કનકમાલાએ બે હાથ પહોળા કર્યા. પછી રાજ તે બાળકને તેમાં મુકતાં તેણીના બન્ને હાથ સંકોચ પામી ગયા. રજા બોલ્યો - દેવી ! તમારા હાથ કેમ સંકોચ્યા? કનકમાલા બેલી - નાથ ! સાંભળો. મારા હાથને જે સંકેચ થયે, તેનું કારણ એ છે કે, તમારે ઘેર બીજી સ્ત્રીઓના પાંચસો પુત્ર છે. તે બધાને અનુ ચર થઈ, આ બાળક જીવે તે મારા હૃદયમાં શલ્ય જેવું લાગે, તેમજ પછી મારૂં જીવિત પણ શા કામનું ? જે મેં પૂર્વ જન્મમાં નિશ્ચલ પુણ્ય કર્યું P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust