________________ કેઈને શરીરે દુખ થઈ આવ્યું હશે ? અન્યથા મારા વિમાનની ગતિને રાધ ન થાય. આ ત્રણ ભુવનમાં એ કેણ છે, કે જે મારી ગતિનો રોધ કરે ? જેણે મારું વિમાન અલિત કર્યું હોય, તેને યમરાજના મંદિરમાં પહોંચાડી દઉં. આ પ્રમાણે વિચાર કરતાં તેને કુબુદ્ધિથી ઉત્પન્ન થયેલ અવધિ જ્ઞાન થઈ આવ્યું. તેવટે તેણે સર્વ વૃત્તાંત જાણી લીધો. તેણે વિચાર્યું કે, મધુરાજાને એ પાપી જીવે પૂર્વ જન્મમાં મહાતુર થઈ મારી સ્ત્રીનું હરણ કકર્યું હતું. તે પછી નિશંકપણે રાજ્ય કરી, સ્વર્ગનાં વિવિધ સુખ ભેગવી, તે પાછો પુર્વનાં પુણ્ય યોગે આ રૂકિમણીના ગર્ભમાં આવ્યું છે. એણે મને ઘશું દુઃખ આપેલું છે. તે કાળે તે સમર્થ હતા, અને ને હું અસમર્થ હતો. હાલ હું સમર્થ છું, અને તે બાળરૂપે રહેલે અસમર્થ છે. તેથી હું એ દુરાચારીને બળાત્કારે મારી નાંખ્યું. " જે એને ન મારે તે, પછી મારું દૈત્યપણું વૃથા થાય.” આ વિચાર કરી અને તેમ કરવાનો નિશ્ચય કરી, તે દૈત્ય આકાશમાંથી રૂકિમણીના ભવન પ્રત્યે ઉતર્યો. ત્યાં આવી જોયું તે, ઉઘાડાં હથિઆરે સુભટનો સમૂહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust