SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અભયદેવસૂરિ. ભોજના કેપનું વિશેષ કારણ એ થયું હતું કે એમણે ભજત વ્યાકરણ ગ્રન્થમાંથી ભૂલો બતાવીને માલવીય પરિડતેની મશ્કરી કરી હતી, આથી ભેજ તેમના ઉપર ગુસ્સે થયો હતો અને તેમને સભામાં બેલાવી કઠેર દારડ કરવાનો હતો, પણ તે પહેલાં જ કવિ ધનપાલે તેમને ઉપાશ્રયમાંથી ગુપ્ત રીતે પસાર કરીને સંતાડી રાખ્યા અને પાછલથી એમને સકુશલ ગુજરાતમાં પહોંચાડી દીધા હતા. સૂરાચાર્યને સમય શિથિલાચાર હતા, એમના દાદા ગુરૂ ગોવિન્દસૂરિની નિશ્રાનું પાટણમાં એક પ્રસિદ્ધ જિનચૈત્ય હતું અને તેમાં પર્વ દિવસોમાં નાટક અને નર્તકીને નાચ થતો હતો. સુરાચાર્યે પોતે જ્યારે ધારામાં પ્રવેશ કર્યો ત્યારે હાથીની સવારીએ અને પાછી પાટણમાં આવ્યા ત્યારે પણ હાથીની સવારીથી નગર પ્રવેશ કર્યો હતો. જો કે પ્રબંધકાર આવી વિહાર સંબધી ક્રિયાઓનું પ્રાયશ્ચિત્ત અપાવે છે. પણ આ પ્રવૃત્તિઓ શિથિલાચારની નિશાની છે એમાં તે કંઈ પણ સંશય જેવું નથી. સૂરાચાર્ય ધારામાં જે ચૂડ સરસ્વત્યાચાર્યના અતિથિ બને છે તે આચાર્ય પણ ચૈત્યવાસિ હેવાને વિશેષ સંભવ છે. સૂરાચાર્ય ધારામાં ગયા તે વખતે ત્યાં એક વિશિષ્ટ ઘટના બનવાનું વર્ણન પ્રબન્ધમાં કર્યું છે, જેનો સાર એ છે કે રાજા ભોજે સર્વ દર્શનવાલાઓને એક ઠેકાણે કેદ કર્યા હતા, જેનું કારણ એ હતું કે રાજા બધાને ધર્મના વિષયમાં એકમત કરવા માગતા હતા પણ સરાચાર્યે રાજાને સમજાવીને બધાને કેદમુક્ત કરાવ્યા હતા. આ હકીકત એક કલ્પિત ઘટના લાગે છે; રાજા ભોજ જેવો વિદ્વાન રાજા આવી ઘેલછા કરે એ માનવા જેવી વાત નથી, એમ લાગે છે કે અન્ય સંબધની એ કથા આ વૃત્તાન્તની સાથે કવિએ દત્તકથા રૂપે જોડી દીધી છે. સુરાચાર્યે આદિનાથ અને નેમિનાથના વર્ણનમાં એક કિસન્ધાન કાવ્ય બનાવ્યાને ઉલ્લેખ છે કદાચ આ કાવ્યનું નામ " નેમિનાભેય હિંસધાન કાવ્ય ? હેય. છે. 19 શ્રી અભય દેવ સૂરિ. 8 અભયદેવની કથાને પ્રારંભ ભોજરાજાના સમયથી થાય છે. ભોજના રાજત્વ f3a? કાલમાં ધારામાં એક શ્રીમન્ત શેઠ વસતો હતો, કે જેનું નામ “લક્ષ્મીપતિ' 888 હતું. એ જ લક્ષ્મીપતિને ત્યાં રહેલ મધ્યદેશના કૃત બ્રાહ્મણના પુત્ર શ્રીધર ખી અને શ્રીપતિ નામના બે વિદ્વાન જુવાન બ્રાહ્મણોએ આચાર્ય વર્ધમાનસૂરિ પાસે દીક્ષા લીધી અને તેઓ જિનેશ્વર અને બુદ્ધિસાગર નામથી પ્રસિદ્ધ થયા હતા. આ વર્ધમાનસૂરિ પૂર્વે કુચપુર (કુરા) ના ચૈત્યવાસી આચાર્ય હતા 84 જિન મંદિર એમની નિશ્રામાં હતાં, પણ એમણે ચૈત્યવાસનો ત્યાગ કરી સુવિહિત માગને સ્વીકાર કર્યો હતો. આ વખતે પાટણમાં ચૈત્યવાસિયાનું પ્રાબલ્ય હતું, તે એટલા સુધી કે તેમની સંમતિ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy