SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઉAશિ00૦૦૦૦૦૦૦૦૦૦૦% 0e8Y8 કે 18 શ્રીસૂરાચાર્ય. 000000000 aai સૂ એ રાચાર્ય રાજા સંગ્રામસિંહના પુત્ર હતા, ગૃહસ્થાવસ્થામાં એમનું નામ A B મહીપાલ'. હતું. મહીપાલની બાલ્યાવસ્થામાં જ તેના પિતા સંગ્રામસિંહનું મરણ થઈ ગયું હતું તેથી એની માતાએ મહીપાલને દ્રોણાચાર્યની પાસે સંભાલવા અને ભણાવવા માટે રાખ્યો હતો, કારણ કે દ્રોણાચાર્ય એ મહીપાલના કાકા થતા હતા. દ્રોણાચાર્યે મહીપાલને વ્યાકરણ, ન્યાય, ધર્મશાસ્ત્ર આદિ અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો અને એની માતાને સમજાવીને મહીપાલને જૈન દીક્ષા આપીને સૂરાચાર્ય નામના પિતાના પટ્ટધર શિષ્ય બનાવ્યા. - દ્રણચાર્ય તે સમયના પાટણના રાજા ભીમદેવના મામા થતા હતા એમના ગુરૂનું નામ ગોવિન્દમૂરિ હોય તેમ જણાય છે, કારણ કે પ્રબન્ધના પ્રારંભમાં તે દ્રોણાચાર્યું સૂરાચાર્યને પોતાના શિષ્ય બનાવ્યાને ઉલ્લેખ કર્યો છે પણ તે પછી એમને ગોવિન્દસૂરિની પાસે બતાવ્યા છે, આથી માનવાને કારણે મેલે છે કે ગોવિન્દસૂરિએ દ્રોણાચાર્યના ગુરૂ જ હેવા જોઈયે. સૂરાચાર્ય એક બુદ્ધિશાળી વિદ્વાન હતા, કાવ્ય અને પ્રમાણુશાસ્ત્ર ઉપર એમને સારે કાબુ હતું, પણ સ્વભાવે જરા ગર્વિષ્ઠ અને ક્રોધી હેય એમ જણાય છે. એમને પોતાના વિદ્યાથિ ઉપર ઘણો ધાક હતા. એકવાર તે તેમના કૂર સ્વભાવની વિદ્યાર્થિઓને પિતાના હેટા આચાર્ય પાસે શિકાયત પણ કરવી પડી હતી, જે ઉપરથી ગુરૂએ એમને ઉપાલંભ આપતાં કહ્યું કે શિષ્યોને વાદી બનાવવાની હને એટલી ચિન્તા છે તે તું પતે ભેજની સભાને પરાજય કરીને આવ્યા છે શું ?? " ગુરૂના આ મર્મ વચનથી સૂરાચાર્યનું લેહી ઉકલી ગયું અને તેમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ભોજ રાજાની સભાને જીતીને ન આવું ત્યાં સુધી એ વિગય ત્યાગ છે? * તે પછી સૂરાચાર્યને ઘણુય સમજાવ્યા પણ તેમણે પિતાની પ્રતિજ્ઞા છોડી નહિ, છેવટે તેઓ ગ૩ની અને ભીમદેવની આજ્ઞા લઈને માલવામાં ગયા અને ભેજરાજાના વિદ્વાનોને પરાજય આપીને પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની સાથે તેમણે પોતાની બુદ્ધિને ચમત્કાર બતાવ્યો.. રાજા ભોજે પ્રથમ તે સૂરાચાર્યને સત્કાર કર્યો હતો પણ અને એમના અભિમાન અને ઉદ્ધતાઈથી તે અતિશય નારાજ થઈ ગયો હતો, જે જૈન કવિ ધનપાલે સમયસૂચકતાથી એમને ન બચાવ્યા હતા તે રાજા ભોજ તરફથી એમને પિતાના ઔદ્યનો શે પુરસ્કાર મલત તે કલ્પવું મુશ્કેલ છે. P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy