SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાન્તિસૂરિ. ce ઉપરની બધી વાતોને વિચાર કરનાં પ્રબંધમાં જણાવેલ વીરગણિ અસ્તિત્વ સમય નિર્દોષ હો મુશ્કેલ લાગે છે, અને જે તેને સત્યજ માનીયે તે પ્રથમ તે ધૂમરાજ વંસ્ય દેવરાજનું તે સમયના ભીનમાલના રાજા તરીકેનું અસ્તિત્વ સાબિત કરવું જોઈએ. બીજું વીરમંત્રી અને ચામુણ્ડને વલ્લભરાજ પુત્ર હોવા સંબધી હકીકત અસત્ય માનવી પડશે. પણ હું ધારું છું ત્યાં સુધી એ વાત ખોટી નહિ પણ વીરને અસ્તિત્વ સમય જ આમાં ગલ્સ બતાવેલ છે. ખરી રીતે વીરગણિ અગ્યારમી સદીના પૂર્વાર્ધમાં થયેલ વ્યકિત હોવા જોઈએ, તે સમયમાં જાલોરના પરમાર રાજા ચન્દનના પુત્ર દેવરાજનું ભીનમાલમાં રાજ્ય હતું. પાટણમાં મૂલરાજપુત્ર ચામુણ્ડનું રાજ્ય હતું. એ બધી વાતોને સમન્વય થવા સાથે વર્ધમાનસૂરિનું સમકાલીનપણું પણ સહજે મળી રહે છે 16 કી શાન્તિસૂરિ દિવેતાલ શાન્તિસૂરિને જન્મ રાધનપુર પાસેના ઉણ નામના ગામમાં થયો હતો. એમના પિતા શેઠ ધનદેવ અને માતા ધનશ્રી નામે હતાં. શાન્તિસૂરિનું ગૃહસ્થાવાસનું નામ ભીમ હતું. આ અવસરે પાટણમાં શરીર અને “સંપર્ક વિહાર " નામનું થારાપદ્રગચ્છાશ્રિત એક પ્રસિદ્ધ જિનમંદિર હતું, અને તેની પાસે જ થારાપ્રગચ્છને ઉપાશ્રય હતો. જ્યાં થારાપદ્રગચ્છીય વિજયસિંહસૂરિ નામના આચાર્ય વિરાજમાન હતા. વિજયસિંહસૂરિએ કાલાન્તરે ઉણની તરફ વિહાર કર્યો, અને ધનશેઠને સમજાવી ભીમને દીક્ષા આપી અને ? શાન્તિ' નામે પિતાને શિષ્ય કર્યો. શાન્તિ આચાર્યપદ પામી વિજસિંહના પટ્ટધર શિષ્ય શાન્તિસૂરિ થયા. - શાન્તિસૂરિ પાટણમાં ભીમરાજાની સભામાં કવીન્દ્ર” તથા “વાદિચક્રવર્તિ” આવા પદોથી પ્રસિદ્ધ થયા. કવિ ધનપાલની પ્રાર્થનાથી શાન્તિસૂરિએ માલવામાં વિહાર કર્યો અને ભેજરાજાની સભાના 84 વાદિયાને વાદમાં જીતીને રાજાભેજના તરફથી શરત પ્રમાણે 84 લાખ માલવી રૂપિયા મેળવ્યા હતા, માલવાના 1 લાખના ગુજરાત દેશના 15 હજાર થતા હોવાથી ભોજે તે હિસાબે 260001 ગૂર્જરદેશના રૂપિયા શાન્તિસૂરિને અર્પણ કર્યા હતા, જેમાંથી 12 લાખ તો તેમણે ત્યાંજ જૈન દેહરાસરે કરાવવામાં ખર્ચાવ્યા અને બાકીના 60 હજાર થરાદનગરે મોકલાવ્યા અને તે રૂપિયાથી થરાદના આદિનાથના મંદિરનાં મૂલનાયકની ડાબી બાજુમાં દેહરી અને રથ વિગેરે કરાવ્યા. પોતાની સભાના પંડિતે માટે શાન્તિસૂરિ વેતાલ જેવા નિવડવાથી રાજા ભોજે તેમને “વાદિવેતાલ” એ બિરૂદ આપ્યું. ધારાનગરીમાં કેટલોક સમય રહીને શાન્તિસૂરિએ મહાકવિ ધનપાલની તિલકમંજરી કથાનું સં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy