SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. હતા. પણ નૂતનગચ્છ પ્રવર્તકેએ અનેક પ્રવૃત્તિઓની જેમ આ પ્રવૃત્તિને પણ ચૈત્યવાસીઓની પ્રવૃત્તિ માનીને એને નિષેધ કરવા માંડયો. ત્યાર પછી ધીરે ધીરે આ પ્રવૃત્તિ બંધ પડી ગઈ. સિહર્ષિના વિહાર સંબંધી વિશેષ માહિતી મળતી નથી. પણ એમના ગુરૂઓ અને ગુરૂભાઈઓ ગુજરાતમાં વિચર્યા હતા, એ જોતાં એમને વિહાર પણ ઘણે ભાગે ગુજરભૂમિમાં અને મારવાડમાં થયું હશે. : : સિદ્ધર્ષિ સારા વ્યાખ્યાતા હતા અને એથી જ એમને “સિદ્ધ વ્યાખ્યાતા” આવું બિરૂદ મળ્યું હતું. સિહર્ષિએ “ઉપદેશમાળા વૃત્તિ” “અને ઉપમિતિ ભવપ્રપંચ કથા' આ બે ગ્રન્થો રયાને પ્રબધમાં ઉલ્લેખ છે. પણ " ન્યાયાવતારવૃત્તિ " નામને એક ન્યાય વિષયને ગ્રન્થ પણ એમણે બનાવ્યો છે. આ ત્રણે ગ્રન્થ વર્તમાન છે, પણ એ ઉપરાંત કોઈ ગ્રન્થ એમણે બનાવ્યો હતો કે નહિ તે જાણવામાં નથી. સિદ્ધર્ષિને જન્મ, દીક્ષા અને સ્વર્ગવાસ સંબન્ધી સમય જાણવામાં આવ્યો નથી. માત્ર તેઓ સં૦ 962 માં વિદ્યમાન હતા એમ ઉપમિતભવપ્રપંચાથી સિદ્ધ થાય છે. coછટક@20 ડું 15 શ્રીવીરગણિ છું . . . . . . . . 40 0 4 || વીરગણિ ગૃહસ્થાવસ્થામાં ભીનમાલના રહેવાસી પ્રાગ્રહર શિવનાગ શેઠના પુત્ર હતા, == એમની માતાનું નામ પૂર્ણલતા હતું. - વીર કટિધ્વજ શેઠના પુત્ર હોઈ 7 કન્યાનું પાણિગ્રહણ કર્યું હતું, છતાં તે ધર્મના સંસ્કારવાલો હતો. પિતાના મરણ પછી તેણે પર્વ દિવસોમાં સારની " યાત્રા કરવાનો નિયમ કર્યો હતો. અને પોતાની માતાના મરણ પછી તે વીરનું મન સંસારથી બિલકુલ ઉતરી ગયું હતું. તેણે પોતાના ધનમાંથી એક એક કેડ એક એક સ્ત્રીને આપીને બાકીનું સર્વ ધન સંધપૂજા અને દેહરાસરોમાં ખર્ચે ગૃહસ્થાશે જ પરિગ્રહને ત્યાગી થઈ સાચેર જઈને તે ભગવાન મહાવીરની આરાધનામાં લાગ્યો હતો. આઠ આઠ ઉપવાસને પારણે નિર્વિકૃતિક પ્રાસુક ભેજન કરતો અને નગરની બહાર સ્મશાન વિગેરેમાં રહીને કાયોત્સર્ગ ધ્યાન કરી વિવિધ કષ્ટોને સહતિ વીર મહાન તપસ્વી થઇને સાચારમાં રહેતો હતો. એકવાર સાંજના સમયે કાર્યોત્સર્ગ માટે તે ગામ બહાર ગયે, તેટલામાં મથુરાથી વિચરતા આવેલા વિમલગણિ નામના મુનિ મળ્યા વીરે તેમને વન્દન કર્યું અને તેમને ધર્મલાભ આપીને કહ્યું–‘મહાનુભાવ! હું તને “અંગવિદ્યા ને ઉપદેશ કરવા આવ્યો છું.” વીર તેમને પિતાના ઉપાશ્રયે લઈ ગયો. અને સર્વ રાત સેવા અને ધર્મચર્ચામાં વ્યતીત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy