SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ છ૭૭૦૭૭૨ છે. 14 શ્રી સિદ્ધ કષિ 4000000000%8 8 આચાર્ય સિદ્ધર્ષિને જન્મ ભીનમાલ નિવાસી શ્રેણી શુભંકરને ત્યાં થયો હતો. શેઠ શુભંકરની ભીનમાલના પ્રસિદ્ધ શ્રીમંતોમાં ગણના હતી, એની સ્ત્રીનું નામ લક્ષ્મી હતું, આપણા ચરિત્ર નાયક સિદ્ધર્ષિનો એજ લક્ષ્મીની કૂખથી જન્મ થયે હતો. ગ્ય વયમાં આવતાં સિદ્ધના લગ્ન થયાં, પણ તેમાં એક મોટું વ્યસન હતું, તે જુગારીઓની સેબતમાં પડી ગયો હતો, દિવસ અને રાત તેનું મન ત્યાં જ રહેતું, રાત્રે બહુજ મહોડ-અર્ધરાત્રિ પછી ઘરે આવતે, આથી તેની સ્ત્રીને બહુ દુઃખ થતું, પણ તેનું ચાલતું ન હતું. એક દિવસ એની માતાએ દ્વાર બંધ કર્યા અને જ્યારે બહુ રાત ગયે સિહે આવીને દ્વાર ઉઘાડવાને કહ્યું ત્યારે તેની માએ કહ્યું- આ સમયમાં જ્યાં દ્વાર ઉઘાડા હોય ત્યાં ચાલ્યો જા’ માતાનાં આ કથનથી સિદ્ધ ત્યાંથી પાછા ફર્યો અને ગર્ગષિ નામના આચાર્યના ઉપાશ્રયનું દ્વાર ઉઘાડું જોઈ તેમાં ગયો અને પોતાને દીક્ષા આપવાની આચાર્યને પ્રાર્થના કરી; પણ આચાર્યે કહ્યું કે અમે અદત્તાદાન લેતા નથી. માટે હારા કુટુંબીજનોની આજ્ઞા સિવાય દીક્ષા નહિ આપીયે. સિદ્ધ ત્યાં જ બેઠે રહ્યો. પ્રભાતનાં તપાસ કરતાં શુભંકર શેઠ ત્યાં આવ્યા અને સિદ્ધને ઘરે આવવાને ઘણું સમજાવ્યો, પણ તેણે માન્યું નહિ અને છેવટે પિતાની આજ્ઞા મેળવીને તેણે દીક્ષા ગ્રહણ કરી, આમ માતાનું તિરસ્કાર વચન એજ સિદ્ધના વૈરાગ્યનું કારણ થયું. સિદ્ધર્ષિના ગુરૂ ગર્ગષિ નિવૃતિ કુલીન સુરાચાર્યના શિષ્ય હતા એમ પ્રબંધકાર લખે છે. સિદ્ધષિ પિતે પણ ઉપમિતભવપ્રપંચાની પ્રશસ્તિમાં પ્રથમ નિવૃતિ કુલ અને સૂરાચાર્યને જ ઉલ્લેખ કરે છે; પણ તે પછી દેલ્લમહત્તરને અને દેલમહત્તર પછી દુર્ગસ્વામીનો નામોલ્લેખ કરીને છેવટે દુગસ્વામીના અને પોતાના દીક્ષાદાયક તરીકે ગÍર્ષને નિર્દેશ કરે છે. આ ઉપરથી એમ જણાય છે કે સૂરાચાર્યના બે શિષ્યો હશે પહેલા દેલમહત્તર અને બીજા ગદ્ગષિ, દેલ્લમહત્તરના દુર્ગાસ્વામી અને ગદ્ગષિના સિદ્ધષિ શિષ્ય હશે અને આ બંનેની દીક્ષા ગર્ગષિના હાથે થઈ હશે. પ્રબન્ધમાં કુવલયમાલા કથા સિદ્ધષિના ગુરભાઈ દાક્ષિણ્યચન્દ્ર બનાવ્યાનો ઉલ્લેખ છે તે વિચારવા જેવો છે, કારણ કે “કુવલયમાલાથા” ના કર્તાનું નામ " દક્ષિયચંદ્ર ? નહિં પણ " દાક્ષિણ્યચિહ્ન” છે અને તે સિહર્ષિના ગુરૂભાઈ નહિ પણ ચન્દ્રકુલના આચાર્ય હતા. અને તેમણે વિક્રમ સંવત ૮૩૫ના વર્ષમાં કુવલયમાલાની રચના કરી હતી, જ્યારે સિહર્ષિએ વિક્રમ સંવત 962 માં ઉપમિતભવપ્રપંચની રચના કરી હતી. આવી રીતે દાક્ષિણ્યચિહ્ન સિદ્ધર્ષિથી 127 વર્ષ પૂર્વે થઈ ગયા છે. આ સ્થિતિમાં કુવલયમાલા કથાકાર અને ઉપમિતભવપ્રપંચ કથાકારને સમકાલીન ગુરૂભાઈ માનવામાં મહટ વિરેજ આવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy