SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રભાવક ચરિ. આમ આપણે પ્રબન્ધમાં જોયું છે. પણ આજે બપ્પભદિકૃત “ચતુર્વિશતિજિન સ્તુતિ” અને એક સરસ્વતી સ્તોત્ર સિવાય બીજો એક પણ પ્રબન્ધ ઉપલબ્ધ થતો નથી. બપ્પભદિના ગુરૂભ્રાતા નસૂરિએ આદિ જિનનો જીવન પ્રસંગ લઈને સંધિબબ્ધ બનાવેલ નાટકને પ્રબન્ધમાં ઉલ્લેખ છે, પણ આ વિદ્વાનની કોઈપણ કૃતિ આજે જૈન ભંડારેમાં અસ્તિત્વ ધરાવતી હોય એમ જણાતું નથી. પણ આ ઉપરથી એટલું તે નિશ્ચિત થાય છે કે પૂર્વે જૈનમંદિરમાં ધાર્મિક નાટકો ખેલવાને સાધારણ રિવાજ હતો. આજ કારણે જૈન મંદિરના અગ્રમંડપે, હજી પણ રંગમષ્ઠ૫, ખેલામJપ અને પ્રેક્ષામપ વિગેરે નામથી પ્રસિદ્ધ છે. $ 12 શ્રી માનતુંગસૂરિ. હું 80~~~~~68 છે નતુંગ બનારસ નિવાસી ધનદેવ શેઠના પુત્ર હતા, એમણે પ્રથમ ચારૂકીર્તિ નામના દિગંબર મુનિ પાસે દીક્ષા લીધી હતી, અને તે વખતે એમનું નામ મહાકતિ' રાખવામાં આવ્યું હતું, પણ પાછળથી એમણે પોતાની બહેનના કહેવાથી જિનસિંહસૂરિ પાસે શ્વેતામ્બર મતની દીક્ષા ધારણ કરી હતી. આ વખતે બનારસમાં હર્ષદેવ નામને બ્રહ્મક્ષત્રિય જાતિને રાજા રાજ્ય કરતો હતો, અને એજ રાજા હર્ષના માનીતા મયૂર અને બાણ નામના ત્યાં બે બ્રાહ્મણ પંડિતો રહેતા હતા. આ બંને પડિતોએ પિતાની વિદ્યા અને કલાથી રાજા હર્ષદેવનું મન પિતાની તરફ અતિશય આકર્ષિત કર્યું હતું. એકવાર રાજાએ કહ્યું કે “આજ કાલ બ્રાહ્મણમાં જેટલી શક્તિ છે તેટલી શક્તિ બીજા દર્શનના વિદ્વાનમાં જોવામાં આવતી નથી.” આ સાંભળીને રાજાના મંત્રીએ કહ્યું સ્વામી જે કહે છે તે ખરૂં જ હશે, પણ આજકાલ આપના જ નગરમાં માનતુંગસૂરિ નામના એક જૈન આચાર્ય વસે છે તે પણ સારા વિદ્વાન અને સમાગમ કરવા યોગ્ય છે, જે આપની ઇચ્છા હોય તે તેમને બોલાવીયે. રાજાએ આજ્ઞા આપી એટલે મંત્રી પ્રાર્થના કરીને માનતુંગસૂરિને રાજસભામાં લઈ ગયો. રાજાએ આચાર્યને ઉદ્દેશીને કહ્યું—“ આજના વખતમાં બ્રાહ્મણે જે શકિત ધરાવે છે તે બીજે ક્યાંઈ છે ? મયૂર પણ્ડિતે સૂયને પ્રસન્ન કરીને પિતાને કેદ્ર રોગ મટાડ્યો અને બાણ કવિએ ચડીને પ્રસન્ન કરીને પોતાના હાથપગ નવા પ્રાપ્ત કર્યો ! શું આવી શક્તિ બીજે કયાં છે? જો તમે પણ કંઈ જાણતા હો તે બતાવો. રાજાનાં આવાં વચન સાંભળીને આચાર્યે કહ્યું–રાજન ! અમે ગૃહસ્થ નથી કે વિદ્યા અને ગુણનું પ્રદર્શન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy