SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રભાવરિટા. ગુરૂભાઈ ગોવિન્દસૂરિ અને નન્નસૂરિની વિદ્વત્તાનાં અતિશય વખાણ કર્યા, જે ઉપરથી આમરાજ ગુપ્ત રીતે તેમના દર્શનાર્થે ગયે. ત્યાં છત્ર ચામરાદિ રાજચિન્તા યુક્ત સિંહાસન ઉપર બેઠેલ નન્નસૂરિને જોઈને તેમના આ રાજ્યશાહી ઠાઠની ટીકા કરીને ચાલ્યો ગયો. બીજે અવસરે આમ ત્યાં ગયો. તો નન્નસૂરિને ચૈત્યમાં બેસીને વાત્સ્યાયન શાસ્ત્ર ( કામશાસ્ત્ર)નું વ્યાખ્યાન કરતાં જોયાં. આમ મંદિરમાં જઈ જિનમૂર્તિને નમસ્કાર કરીને ચાલ્યો ગયે, કામશાસ્ત્રના વ્યાખ્યાનથી તેને લાગ્યું કે એ આચાર્ય વિદ્વાન છે પણ ચારિત્રવાન નથી. નન્નસૂરિને આથી ઘણો જ ખેદ થયો, જેથી ગોવિન્દસૂરિએ તેમને દિલાસે આપતાં કહ્યું કે તે પુરૂષ બીજો કોઈ નહિં પણ આમરાજા હવે જોઈએ; માટે કોઈ નવો પ્રબન્ધ બનાવીને નટ દ્વારા આમને દેખાડો આ પછી નન્નસૂરિએ સંધિબબ્ધ આદિનાથ ચરિત્ર બનાવ્યું, નટ તે શીખીને કનોજ જઈ બપ્પભદિને મળ્યો અને રાજાને મળીને તે રૂપક નાટકપે ખેલીને બતાવ્યું. તે પછી નટ પાછે ગુજરાતમાં નન્નસૂરિને જઈને મળ્યો અને રૂપકના સંબન્ધમાં ત્યાં જે ચર્ચા અને અસર થઈ હતી તે જણાવી દીધી. આ પછી નન્નસૂરિ અને ગોવિન્દસૂરિ પણ રૂપ બદલીને કનોજ જઈ બપ્પભદિને મળ્યા. અને તે પછી આમની સભામાં રૂપક ભજવવા માંડયું તેમાં તેમણે વીરરસનું એવું પિષણ કર્યું કે સભામાં બેઠેલ રાજાને એકદમ શૌર્ય ચઢી જતાં મારે, મારે' કરતાં તલવાર ખેંચી કાઢી, તેટલામાં અંગરક્ષકેએ તેને ચેતવ્યો કે આ તે યુદ્ધ નથી પણ નાટક છે. એ જ અવસરે ગોવિન્દસૂરિએ પ્રકટ થઈને રાજાને કહ્યું કે રાજન ! આ નાટકને તમે સાચો બનાવ માન્યો એ શું તમે યોગ્ય કર્યું છે? જો નહિ તે નન્નસૂરિના વાત્સ્યાયન શાસ્ત્રના વ્યાખ્યાન ઉપરથી તેમના વિષે તમને શંકા કેમ ઉત્પન્ન થઈ? શું સર્વ કેાઈ શાસ્ત્રમાં લખેલા રસનો અનુભવ કરે તો જ તેનું વ્યાખ્યાન કરે ? ગોવિન્દસૂરિના આ ઉપાલંભથી આમરાજાએ તેમની પાસે માફી માંગી અને પિતાના ગુરૂના ગચ્છની પ્રશંસા કરી. એકવાર કનોજમાં નીચ જાતિના ગાયકોનું ટોળું આવ્યું, તેમાં એક સુન્દરી ગાનારી હતી. તેણીના રૂપ અને ગાયનરસથી આમ મોહિત થઈ ગયે, અને એ જ કારણે તે રાત્રે પિતે ત્યાં જ રહ્યો ચરે દ્વારા બપ્પભદિને આ વાતની ખબર મળી અને તરત જ તેને બોધ આપનારાં અન્યોક્તિક કાવ્યો તેની નજરે પડે તેવી રીતે લખાવ્યાં. બીજે દિવસે તે કાવ્યો વાંચતાં જ રાજાને પશ્ચાત્તાપ થયો, તે એટલે સુધી કે રાજા અગ્નિમાં બળીને મરવાને તૈયાર થઈ ગયો; પણ આચાર્યો ઉપદેશ દ્વારા તેના મનનું સમાધાન કરીને શાન્ત કર્યો. પણ વૃદ્ધ કવિ વાલ્પતિને આ બનાવથી ઘણું જ ખોટું લાગ્યું, તેથી તેણે કનોજનો ત્યાગ કરીને મથુરામાં જઈને વરાહ સ્વામીના મંદિરમાં પિતાનું નિવાસ કર્યો. એકવાર બપ્પભદિ સૂરિએ આમરાજાને જૈન ધર્મને સ્વીકાર કરવા માટે કહ્યું, પણ રાજાને આ વાત ગમી નહિ; તેથી તેણે કહ્યું કે સ્ત્રીઓ અને અજ્ઞાનીને જૈન ધર્મમાં લ્યો, વાક્ષતિ જેવા સંસ્કારિ વિદ્વાનોને જૈ બનાવો ત્યારે તમારી શક્તિની પ્રશંસા થાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy