SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બપભદિસરિ. છે, અમોએ આંગણે આવેલ અતિથિનું કોઈ પણ પ્રકારનું આતિથ્ય ન કર્યું એ પશ્ચા તાપની વાત થઈ, પણ હજી કંઈ વીત્યું નથી હવે પણ આપણે પોતપોતાના વિદ્વાનોનાં વાગ્યુદ્ધ કરાવીને આપણું હારજીતનો નિર્ણય કરી નાખીએ. આમાં જેનો પંડિત હારે તે રાજાની હાર માનવી ને જીતનારને પિતાનું રાજ્ય સેંપી દેવું. જે આવી શરત મંજુર હોય તે અમો અહારી સભાના પંડિત બૌદ્ધાચાર્ય વર્ધનકું જરને લઈને દેશની સીમા ઉપર આવીયે, તહારે પણ જે પંડિતો લાવવા હોય તેમને લઈને સરહદ ઉપર આવી જવું.” ધર્મના દૂતના મુખે તેનો સંદેશ સાંભળીને આમરાજે બપ્પભદિના સામું જોયું, બમ્પભટ્ટએ એ માટે પિતાની સમ્મતિ બતાવી અને રાજાએ દૂતને તે જ પ્રકારને પ્રતિસંદેશ દેહને વિદાય કર્યો. નિશ્ચિત કરેલ દિવસે બંને રાજાઓએ પિતપતાની પતિ મંડળીની સાથે સરહદ ઉપર જઇને પિતાની કેપે ઉભી કરી. બાદ સભામાં આમની તરફથી બપ્પભટ્ટ અને ધર્મની તરફથી વર્ધનકુંજર વાગ્યશાસ્ત્રાર્થમાં ઉતર્યા, અને વાદ કરતાં લગભગ છ માસ વીતી ગયા; પણ કાઈની હાર-જીત ન થઈ; છેવટે વાપતિની સલાહ પ્રમાણે વર્તતાં વાદમાં બપભટ્ટિની છત થઈ, અને વહેંનકુંજરની હાર થઈ. આ ઉપરથી આમરાજાએ ધમન પોતાના રાજ્ય ઉપરનો હક્ક છોડી દેવા જણાવ્યું; પણ બપ્પભદ્રિએ આમને સમજાવીને ધર્મનું રાજ્ય પાછું તેને જ અપાવ્યું. આ શાસ્ત્રાર્થના યુદ્ધ પછી આમરાજ અને ધર્મના આપસના વિરોધને અન્ત આવ્યો અને તે બંનેએ એક બીજા સાથે સંધિ કરી. બપ્પભદિ અને વદ્ધનકુંજરે પણ આપસનો વિરોધ છોડીને એકબીજા સાથે મૈત્રી બાંધી, એટલું જ નહિ પણ બપ્પભદિના ઉપદેશથી તેણે જૈન ધર્મમાં પિતાને વિશ્વાસ પણ જોડ્યો. ' આ પ્રમાણે અહિંસક લડાઈથી બંને રાજ્યો વચ્ચે ઘણું કાળથી ચાલ્યા આવતા વૈરવિરોધનો અન્ન આવ્યો અને બંને રાજાએ પોતાના વિદ્વાનોની સાથે પોતપોતાના સ્થાને ગયા. વાક્ષતિરાજ ધર્મરાજાને ગ્રાસગી પણ્ડિત હતો; છતાં પૂર્વોક્ત શાસ્ત્રાર્થમાં તેણે બપ્પભષ્ટિને સહાયતા આપી હતી. એ વાતની બૌદ્ધાચાર્ય વર્ધ્વનકુંજરે પાછળથી ધર્મ રાજાની પાસે શિકાયત કરી, છતાં રાજાએ તે પરમારવંશી ક્ષત્રિય વિદ્વાન વાક્ષતિરાજ ઉપરથી જરા પણ મન ન ખેંચ્યું. એકવાર રાજા યશોવર્માએ ધર્મ ઉપર ચઢાઈ કરી, અને યુદ્ધમાં તેને મારીને વાકુપતિરાજને કેદ કરીને પોતાના દેશમાં લઈ ગયો. પાછળથી વાલ્પતિ યશોવર્માની પ્રશંસામાં ગૌડવધ' કાવ્ય બનાવીને કેદમાંથી છૂટ્યો, અને ત્યાંથી તે કાન્યકુજ આવીને બપ્પભદિને મળ્યો; અને તે પછી આમરાજાની સભામાં જઈને તેની પ્રશંસામાં કાવ્ય સંભળાવ્યાં. આમ આથી ઘણો પ્રસન્ન થયો અને આશ્વાસન પૂર્વક લાખ સુવર્ણટંકન ગ્રાસ બાંધીને પિતાને ત્યાં રાખ્યો, એક પ્રસ્તાવે. બપ્પભદિસરિએ ખેડાધારમંડળના હસ્તિયનગરમાં રહેલા પોતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy