SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બપ્પભદિસૂરિ. છે, અમોએ આંગણે આવેલ અતિથિનું કોઈ પણ પ્રકારનું આતિથ્ય ન કર્યું એ પશ્ચા તાપની વાત થઈ, પણ હજી કંઈ વીત્યું નથી હવે પણ આપણે પિતપોતાના વિદ્વાનોનાં વાગ્યુદ્ધ કરાવીને આપણી હારજીતનો નિર્ણય કરી નાખીએ. આમાં જેને પંડિત હારે તે રાજાની હાર માનવી ને જીતનારને પિતાનું રાજ્ય સેંપી દેવું. જે આવી શરત મંજુર હોય તે અમો અમ્હારી સભાના પંડિત બૌદ્ધાચાર્ય વર્ધનમું જરને લઈને દેશની સીમા ઉપર આવીયે, તહારે પણ જે પંડિત લાવવા હોય તેમને લઈને સરહદ ઉપર આવી જવું.” ધર્મના દૂતના મુખે તેને સંદેશ સાંભળીને આમરાજે બપ્પભદિના સામું જોયું, બમ્પભટ્ટએ એ માટે પોતાની સમ્મતિ બતાવી અને રાજાએ દૂતને તે જ પ્રકારને પ્રતિસંદેશ દઈને વિદાય કર્યો. નિશ્ચિત કરેલ દિવસે બંને રાજાઓએ પોતપોતાની પતિ મંડળીની સાથે સરહદ ઉપર જઈને પિતાની કેપે ઉભી કરી. બાદ સભામાં આમની તરફથી બપ્પભટ્ટ અને ધર્મની તરફથી વર્દનકુંજર વાયુદ્ધશાસ્ત્રાર્થમાં ઉતર્યા, અને વાદ કરતાં લગભગ છ માસ વીતી ગયા; પણ કેાઈની હાર-જીત ન થઈ; છેવટે વાપતિની સલાહ પ્રમાણે વર્તતાં વાદમાં બપ્પભદિની જીત થઈ, અને વર્ધનકુંજરની હાર થઈ. આ ઉપરથી આમરાજાએ ધર્મને પિતાના રાજ્ય ઉપરનો હક્ક છોડી દેવા જણાવ્યું; પણ બપ્પભદ્રિએ આમને સમજાવીને ધર્મનું રાજ્ય પાછું તેને જ અપાવ્યું. આ શાસ્ત્રાર્થના યુદ્ધ પછી આમરાજ અને ધર્મના આપસના વિરોધને અન્ત આવ્યો અને તે બંનેએ એક બીજા સાથે સંધિ કરી. બપ્પભદિ અને વદ્ધનકુંજરે પણ આપસને વિરોધ છેડીને એકબીજા સાથે મૈત્રી બાંધી, એટલું જ નહિ પણ બપ્પભદિના ઉપદેશથી તેણે જૈન ધર્મમાં પોતાને વિશ્વાસ પણ જોડ્યો. '' આ પ્રમાણે અહિંસક લડાઈથી બંને રાજ્યો વચ્ચે ઘણું કાળથી ચાલ્યા આવતા વરવિરોધનો અન્ન આવ્યો અને બંને રાજાએ પોતાના વિદ્વાનોની સાથે પોતપોતાના સ્થાને ગયા. વાક્ષતિરાજ ધર્મરાજાનો ગ્રાસભોગી પણ્ડિત હતો; છતાં પૂર્વોક્ત શાસ્ત્રાર્થમાં તેણે બપ્પભદિને સહાયતા આપી હતી. એ વાતની બૌદ્ધાચાર્ય વર્ધાનકુંજરે પાછળથી ધર્મરાજાની પાસે શિકાયત કરી, છતાં રાજાએ તે પરમારવંશી ક્ષત્રિય વિદ્વાન વાક્ષતિરાજ ઉપરથી જરા પણ મને ન ખેંચ્યું. એકવાર રાજા યશોવર્માએ ધર્મ ઉપર ચઢાઈ કરી, અને યુદ્ધમાં તેને મારીને વાકુપતિરાજને કેદ કરીને પોતાના દેશમાં લઈ ગયો. પાછળથી વાક્ષતિ યશોવર્માની પ્રશંસામાં ગૌડવધ” કાવ્ય બનાવીને કેદમાંથી છૂટ્યો, અને ત્યાંથી તે કાન્યકુજ આવીને બપ્પભદિને મળ્યો; અને તે પછી આમરાજાની સભામાં જઈને તેની પ્રશંસામાં કાવ્ય સંભળાવ્યાં. આમ આથી ઘણો પ્રસન્ન થયા અને આશ્વાસન પૂર્વક લાખ સુવર્ણટંકને ગ્રાસ બાંધીને પિતાને ત્યાં રાખે. વે પભદિસરિએ ખેડાધારમંડળના હસ્તિયનગરમાં રહેલા પિતાના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy