SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રભાવચરિત્ર. હતો. છતાં એક કારણથી તે બપ્પભદિને વિષે સશંક હતું, અને તે કારણ એટલું જ કે બપભદિ આમરાજાના માનીતા મિત્ર હતા અને પિતાને અને આમને આપસમાં વિરોધ ચાલતો હતો. આથી જો આજ પિતે બપ્પભદિને રાખે અને પાછળથી આમના બોલાવ્યાથી એ ચાલ્યા જાય તે પોતાનું અપમાન થાય, આ કારણથી તેણે વાકપતિરાજને કહ્યું કે તો બપ્પભદિને પૂછી લ્યો કે “જે આમ રાજા પોતે અત્રે આવીને તમને વિનતિ કરે તો જ તમારે જવું અન્યથા નહિ " આ શરત થઈ શકે તેમ છે ? વા૫તિરાજે રાજાને વિચાર બપ્પભદિયુરિને જણાવ્યો. એ ઉપરથી તેમણે કબૂલ કર્યું કે “જ્યાં સુધી આમ રાજા પિતે અત્રે આવીને અમને નહીં બેલાવે ત્યાં સુધી અમે કને જ નહિ જઈએ.’ આમના પાસેથી બપ્પભદિને ગયાને કેટલોક સમય નિકળી ગયો છતાં આમને તેઓ કયાં ગયા છે તે જાણવામાં ન આવ્યું. પણ કેટલાક સમય પછી તેને બપ્પભદિના ખરા સમાચાર મલ્યા, તે ઉપરથી તેણે પોતાના પ્રધાન આચાર્યને બોલાવી લાવવા મોકલ્યા; પણ આચાર્યે તેમને સાફ કહી દીધું કે જ્યાં સુધી આમ રાજા પોતે અત્રે નહિ આવે ત્યાં સુધી અમે પ્રતિજ્ઞાબદ્ધ હોવાથી આવી શકીયે નહિ. આ હકિકત સાંભળીને આમ રાજા પોતાના પ્રધાનની સાથે ગુપ્ત રૂપમાં લક્ષણાવતી ગયો અને ધર્મરાજાની સભામાં આચાર્ય પાસે જઈ અનેક પ્રકારે જ્ઞાનગોષ્ઠી કરી. એ વિષે ધર્મરાજાને આચાર્યો એટલે સુધી શ્લેષતિમાં કહી દીધું કે “આ તારે શત્રુ બીજે રાજા છે.' પણ સરલ પ્રકૃતિના ધર્મને આમાં કંઇ ખબર પડી નહિ. જ્યારે આમ ત્યાંથી ચાલ્યો ગયો. અને આચાર્યે ધર્મને વિહાર માટે પૂછયું ત્યારે જ તેને ખબર પડી કે આમ અત્ર આવ્યો હતો, રાજા ધર્મે નિરૂપાયે બમ્પટ્ટિને વિહાર કરવાની આજ્ઞા આપી અને બપભષ્ટિ સંકેતિત સ્થાને આમરાજાને જઇને મળ્યા અને ત્યાંથી બધા ઉંટણિયે ઉપર સવારી કરીને કને જ જઈ પહોંચ્યા. આ વખતે સિદ્ધસેનસૂરિ અતિ વૃદ્ધ થઈ જવાથી પિતાને એક સાધુ બપ્પભદિને બોલાવવા મોકલ્યો. જેથી બપ્પભદિ મોઢેરે ગયા, સિદ્ધસેને ગ૭ની વ્યવસ્થા બપ્પભદિને ભળાવીને અનશન ધારણ કર્યું અને સમાધિપૂર્વક આયુષ્ય પૂરું કરીને સ્વર્ગવાસી થયા. થોડા સમય પછી બપ્પભદિએ પિતાના મોટા ગુરૂભાઈ ગોવિન્દસરિ તથા નન્નસૂરિને ગચ્છ ભળાવીને આમના પ્રધાન સાથે કનેજ તરફ વિહાર કર્યો અને આમને મળીને પહેલાની જ માફક વિઠગોદીમાં તત્પર થયા. . કહે છે કે એકવાર આમરાજે બપભદિની પરીક્ષા માટે તેમની પાસે રાત્રે ગુપ્ત રીતે એક વેશ્યાને મોકલી અને તેણીએ ત્યાં જઈ અનેક પ્રકારે તેમને વિચલિત કરવાની ચેષ્ટા પણ કરી છતાં બપ્પભદિનું મન લેશમાત્ર પણ વિકારવશ ન થયું. આ વાત જ્યારે આમે જાણી ત્યારે તે આચાર્યનો વધારે પ્રશંસક અને ભક્ત બન્યો. - એક વાર ગૌ દેશના રાજા ધમેં આમના પાસે દૂત મોકલીને કહેવરાવ્યું કે " તમે હારી પાસે આવીને છળ વચનથી છેતરીને ચાલ્યા ગયા એ વાત અમારે માટે ખેદજનક P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy