SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. મલવાદીએ નયચક્ર ઉપરાન્ત 24000 શ્લોકપ્રમાણ પાચરિત” નામક રામાયણની રચના કરી, અને છેવટે પિતાના યોગ્ય શિષ્યને ગચ્છનાયક બનાવીને પિતે સ્વર્ગવાસી થયા. કહે છે કે મલવાદીથી હારેલો બુધ્ધાનન્દ મરીને કઈ વ્યન્તર દેવ થયો અને પૂર્વના ઠેષથી મલવાદીકૃત ઉકત બંને પ્રત્યે તેણે અધિષ્ઠિત કરી લીધાં છે, જેથી તે પુસ્તક કોઈને વાંચવા દેતો નથી; આનો અર્થ એ જણાય છે કે મલવાદીના તે ગ્રન્થ બૌધ્ધોને હાથે નષ્ટ થઈ ગયા છે. કોઈ કાઈ પ્રબધમાં મલવાદિની માતા દુર્લભદેવીને વલ્લભીના રાજા શિલાદિત્યની બહેન લખીને એ મહાવાદીને શિલાદિત્યના ભાણેજ ઠરાવ્યા છે, તેમજ બૌધ્ધોની સાથે મલવાદીને વાદ પણ શિલાદિત્યની સભામાં થયાનું જણાવ્યું છે, પણ પ્રસ્તુત પ્રબન્ધમાં આ બધી ઘટના ભરૂચમાં થયાનું વર્ણન છે. મલવાદી વલભીના હતા એટલું જ આ પ્રબન્ધથી જણાય છે. મલવાદીએ તેમજ એમના ભાઈયોએ કરેલ ગ્રન્થનું આજે કયાંઈ પણ અસ્તિત્વ જણાતું નથી, પણ જે શેધખોળ કરતાં એમાંથી કોઈ પણ એક બે ગ્રન્થો મળી જાય તે જૈન સાહિત્યનો અપૂર્વ ઉત્કર્ષ વધારનારા થઈ પડે. માવાદીકૃત નયચક્રની ટીકા તો આજે પણ જૈન ભડારમાં મળે છે, પણ મૂળ ગ્રન્થ ક્યાંઈ મળતો નથી. એ સિવાય એક લધુધર્મોત્તર ટિપ્પણુ નામક ન્યાયગ્રન્થ પણ મલવાદી કૃત જૈન ભડારોમાં આજે મળે છે, પણ મહારા વિચાર પ્રમાણે આ મલવાદી બીજા હેવા જોઈએ. અલરાજાની સભાના વાદી કીનન્દક ગુરૂના કહેવાથી મgવાદીના જોઈ ભાઈ જિનયરો પ્રમાણ ગ્રન્થ બનાવ્યાનો ઉલ્લેખ પ્રબન્ધકારે કર્યો છે, પણ આ “અલ્લભૂપ” અને તેની સભાના વાદી “શ્રી નન્દકગુરૂ કોણ હતા તે જણાવવામાં આવ્યું નથી. એજ ચરિતના અભયદેવ પ્રબન્ધ ઉપરથી જણાય છે કે વર્ધમાનસૂરિના સમયમાં કૂચેપુર (કચેરા-મારવાડ ! માં અલભૂપાલ પુત્ર ભુવનપાલ રાજા રાજ્ય કરતો હતો, આ ઉલ્લેખથી જણાય છે કે વર્ધમાનસૂરિકાલીન ભુવનપાલન પિતા અઘરાજા વિક્રમની દસમી સદીના અંતમાં વિદ્યમાન હોવો જોઈએ, વલી એજ પ્રભાવક ચરિત્રની પ્રશસ્તિમાં ન્યાયમહાવકાર અભયદેવસૂરિના ગુરૂ પ્રદ્યુસૂરિએ અલ્લરાજાની સભામાં દિગમ્બરાચાર્યાને જીત્યાનો ઉલ્લેખ છે; આ અલૂ અને અલભૂપ એક જ વ્યકિતનાં નામો છે અને આ રીતે પ્રદ્યુમ્નસૂરિના સમકાલીન તરીકે પણ અલભૂપનું અસ્તિત્વ વિક્રમની દશમી સદીમાં જ સિદ્ધ થાય છે પણ મલવાદીના ભાઈ જિનયશને આ અલભૂપની સભાના વાદી શ્રીનન્દક ગ્રન્થ રચવાની પ્રેરણું કેવી રીતે કરી શકે તે સમજાતું નથી. પ્રબન્ધમાં મલવાદીને સત્તાસમય જણાવ્યો નથી છતાં વિજયસિંહસૂરિના પ્રબન્ધમાં મલવાદીના બૌદ્ધવિજય વિષે એક આર્યા મલી આવે છે જેમાં લખ્યું છે કે “મલવાદીએ વીર સંવત 884 ( વિક્રમ સં. 514) માં બૌદ્ધોને જીત્યા " હવે જે મલવાદીને આ રીતે વિક્રમના પાંચમા સૈકામાં થય માની લઈયે તો એમના ભાઈ જિનયશ અઘરાજાની સભાના વાદી શ્રીનન્દકના સમકાલીન થેઈ શકે નહિ, એ ખુલ્લું છે. “આ પરસ્પર વિરોધના પ્રસંગે જોતાં એમ માનવાને કારણ મલે છે કે જેમને આચાર્ય હરિભદ્ર પોતાના ગ્રન્થોમાં નામોલ્લેખ કર્યો છે, જેમણે ભરૂચમાં બૌદ્ધોને પરાજય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy