SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વૃદ્ધવાદીસૂરિ. સિદ્ધસેને ઘોડા બનાવ્યાની કથા કેટલી પ્રાચીન છે તે નિશીથચૂર્ણિનો ઉલ્લેખ ઉપરથી જણાઈ આવે છે. આવી રીતે અમારા મત પ્રમાણે સિધ્ધસેનદિવાકરને સત્તા સમય ચોથા અને પાંચમા સૈકાનો વચલો ભાગ જ અનુકૂળ લાગે છે. કારણ કે પાદલિપ્તસૂરિના પુરોગામી આર્યખપટ વિક્રમની પ્રથમ સદીમાં થયાનું સિધ્ધ થાય છે, સ્કદિલના પુરગામી પાદલિપ્તસૂરિ વિક્રમના ત્રીજા સૈકાના પૂર્વાર્ધમાં થવાનું સાબિત થાય છે અને વૃધ્ધવાદીના ગુરૂ સ્કેન્દિલાચાર્ય વિક્રમના ચોથા સૈકાના આચાર્ય હતા એમ પ્રમાણિત થઈ જાય છે તો સ્કેન્દિલાચાર્યના શિષ્ય વૃધ્ધવાદી અને તેમના શિષ્ય સિદ્ધસેન દિવાકરને ચોથા પાંચમા સૈકાના વચગાળામાં મૂકવા એજ યુક્તિયુક્ત ગણાય. વૃધવાદીની સાથે સિદ્ધસેને વાદ કર્યાની હકીકત દરેક કથાનકમાં આવે છે, પણ અન્ય કથાનકેમાં આ વાદ ભરૂચની નજીક્યાં થયાનું અને તે જ કારણે તે સ્થળે ‘તાલારાસક” ગામ વસ્યાનું વર્ણન આવે છે, પણ આ પ્રબન્ધમાં આ બંને વિદ્વાનો વાદ ઉજજૈનની પાસે થયાનું * લખ્યું છે અને ભરૂચની પાસે સિદ્ધસેને ગોવાલિયાઓને રાસ ગાઈને ઉપદેશ કર્યાની વાત લખી છે. અમને પણ આ પ્રબધમાં લખેલી હકીકત પ્રાચીન અને યથાર્થ જણાય છે. ચિત્તોડના સ્તંભમાંથી સિદ્ધસેનને પુસ્તક મલવાની વાત ઉપરથી જણાય છે કે એમના સમયમાં પુસ્તકો લખવાની અને ભંડારામાં રાખવાની રીત ચાલુ થઈ ચૂકી હતી.. સિદ્ધસેનના સમકાલિન રાજા દેવપાલ, વિજયવર્મા, ધનંજય વિગેરે પ્રસિદ્ધ દેવપાલ વિગેરેથી ભિન્ન વ્યકિતઓ હેવાને સંભવ છે. વૃદ્ધવાદિએ કોઈ ગ્રન્થ પ્રકરણની રચના કરી હશે કે નહિ તે કહી શકાય તેમ નથી, કેમકે આજે એમના નામની કોઈ પણ કૃતિ વિદ્યમાન નથી, પરંતુ એમના શિષ્ય સિદ્ધસેનદિવાકરે બનાવેલા ગ્રન્થ તે જૈન સંઘમાં આજે પણ પ્રસિદ્ધ છે. ન્યાયાવતાર, કાત્રિશિકાઓ અને કલ્યાણમંદિર સ્તોત્ર ઉપરાન્ત એમને “સન્મતિપ્રકરણ” નામક જૈન દર્શન નનાં તત્ત્વોનું નિરૂપણ કરનાર ન્યાયગ્રન્થ આજે પણ વિદ્વાનોના આદરની ચીજ છે. પ્રાચીન ચૂર્ણિમાં આ ગ્રન્થને દર્શનપ્રભાવક શાસ્ત્ર કહીને ઉલ્લેખ્યો છે. આના ઉપર વિક્રમની પાંચમી સદીના પ્રસિદ્ધ તાર્કિક આચાર્ય મલવાદીએ ટીકા કર્યાના ન્યાયગ્રન્થમાં : ઉલ્લેખ મળે છે, પણ તે ટીકા આજે કયાં ઉપલબ્ધ થતી નથી. આજે આ ગ્રન્થ ઉપર વિક્રમની અગ્યારમી સદીમાં બનેલી અભયદેવસૂરિની ટીકા વિશેષ પ્રસિદ્ધ છે. એ સિવાય નિશીથચૂર્ણિના ઉલ્લેખો પ્રમાણે સિદ્ધસેને જૈન આગમો ઉપર પણ ટીકા ભાષ્ય વિગેરે લખ્યાં હશે, પણ આજે તે કાંઈ પણ અસ્તિત્વ ધરાવતાં નથી. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy