SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ (274) - શ્રી પ્રભાવક-ચરિત્ર. એ લોકનું વિવરણ આ પ્રમાણે છે– . * એક પ્રત્યક્ષ પ્રમાણને માનનારા ચાર્વાક; પ્રત્યક્ષ અને અનુમાન–એ બે પ્રમાણને માનનારા બાદ અને વૈશેષિક પ્રત્યક્ષ, અનુમાન અને આગમ—એ ત્રણ પ્રમાણને માનનારા સાંખ્ય પ્રત્યક્ષ, અનુમાન. આગમ અને ઉપમાન–એ ચાર પ્રમાણને માનનારા નિયાયિક; પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અથપત્તિ-એ પાંચ પ્રમાણને માનનારા પ્રભાકર, પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અથપત્તિ અને અભાવ–એ છ પ્રમાણને માનનારા મીમાંસક, આ છએ પ્રમાણુવાદીઓને ઈચ્છનાર એ હું દેવબોધ ક્રોધાયમાન થતાં વિષ્ણુ બ્રહ્મા અને સૂર્ય પણ મુંગા બેસી રહે છે, અથોત મારી સામે કાંઈ બોલી શકતા નથી, તે પદુવાદી વિદ્વાન મનુષ્ય મારી આગળ શું માત્ર છે?” હવે બાહડ નામે એક ધાર્મિક ધનવાનું હતું, તેણે ગુરૂચરણે નમસ્કાર કરીને વિનંતિ કરી કે “હે ભગવન ! મને શુભ કાર્યનો આદેશ કરો કે જેમાં હું મારા ધનનો વ્યય કરું.” ત્યારે ગુરૂ મહારાજ કહેવા લાગ્યા કે “હે ભદ્ર ! જિનાલયમાં દ્રવ્યને વ્યય કરવાથી તે સફળ છે.” એમ આદેશ થતાં બાહડ શ્રાવકે હિમાલય સમાન ધવલ અને ઉન્નત તથા કુંભ અને મહામણિઓથી વિરાજિત એ જિનપ્રાસાદ કરાવ્યો, તેમજ તેજથી ચંદ્રકાંત અને સૂર્યકાંત મણિની પ્રજાને જીતનાર એવું શ્રી વદ્ધમાન સ્વામીનું તેણે અદ્દભુત બિંબ કરાવ્યું. એવામાં વિક્રમ સંવત 1178 વર્ષ વ્યતીત થતાં આરાધના વિધિ પૂર્વક અનશન કરીને શમામૃતના કલ્લોલથી વ્યાસ એવા શ્રી મુનિચંદ્રસૂરિ સ્વર્ગ ગયા. પછી એક વર્ષ વ્યતીત થતાં શ્રી દેવસૂરિ પાસે પ્રમાદ પૂર્વક શ્રી વીરબિબની બાહડે પ્રતિષ્ઠા કરાવી. હવે શ્રીદેવસૂરિ નાગપુરમાં ગયા, ત્યાં શ્રીમાન આહાદન રાજા તેમની સામે આવ્યો, તે વખતે આર્ય આચારમાં કુશળ ભાગવતેશ્વર તે દેવબોધ ત્યાં આવ્યો અને તેણે આચાર્યને પ્રણામ કરીને આ પ્રમાણે એકલક કહી સંભળાવ્યા— यो वादिनो द्विजिह्वान्, साटोपं विषममानमुद्रितः। શમતિ તહેવાર–નદ્રઘંઘા થે ન થાત?” I | અમિત અભિમાન રૂપ વિષ બતાવતા વાદી રૂપ સર્વેને જે શમાવે છે, તે શ્રી દેવસૂરિ નરેંદ્રને વંદનીય કેમ ન થાય? એ પ્રમાણે રાજાએ મહાભક્તિપૂર્વક તેમને નગરમાં સ્થાપન કર્યા, એટલે તત્વાર્થના જ્ઞાતા એવા તે ગુરૂ ભવ્ય જનને પ્રતિબોધ આપવા લાગ્યા. એવામાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy