SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અભયદેવસૂરિ ચરિત્ર ( ર૫૭) આચાર્ય ઘરમાં આવ્યા. તેમને જોતાં પુરોહિત વિચારવા લાગ્યોકે–“આ શું બ્રહ્મા પોતે પોતાના બે રૂપ કરીને મને દર્શન દેવા આવેલ છે?” એમ ધારી તેણે આપેલ ભદ્રાસનાદિકને ત્યાગ કરીને તેઓ પોતાની શુદ્ધ કંબળપર બેઠા, અને વેદ ઉપનિષદુ તેમજ જેનાગમની વાણીથી સમાનતા પ્રકાશીને આશિષ આપતાં બોલ્યા કે–“હાથ, પગ અને મન વિના જે બધું ગ્રહણ કરે છે, ચક્ષુવિના જે જુએ છે, કર્ણ વિના જે સાંભળે છે, વિશ્વને જે જાણે છે, પણ તેને કઈ જાણી શકતું નથી એવા અરૂપી શિવ તેજ જિનેશ્વર તમારું રક્ષણ કરે.” તે પછી તેમણે પુનઃ જણાવ્યું કે–વેદ અને જેનાગમનો અર્થ સમ્યક્ પ્રકારે જાણીને અમે દયામાં અધિક એવા જૈનધર્મને સ્વીકાર કર્યો છે.” ત્યારે પુરોહિતે તેમને પ્રશ્ન કર્યો કે –“તમે નિવાસ કયાં કર્યો છે?” એટલે તેમણે કહ્યું કે–અહીં ચૈત્યવાસીઓને લીધે કયાં પણ સ્થાન મળી શકતું નથી. આથી ચાંદની સમાન નિર્મળ મનવાળા તે પુરોહિતે તેમને રહેવા માટે પોતાના મકાનનો ઉપલો ભાગ કાઢી આખ્યો. ત્યાં તેઓ પિતાના પરિવાર સહિત રહ્યા અને ભિક્ષાના બેંતાલીશ દોષ તથા વૃદ્ધિરહિત, તેમજ નવકેટિએ શુદ્ધ લાવેલ આહારને તેમણે ઉપયોગ કર્યો. - પછી બપોરે પુરેશહિતે યાજ્ઞિક, સ્માર્ત અને દીક્ષિત અગ્નિહોત્રીઓને તેમની પાસે બોલાવ્યા, ત્યાં તેમની પરીક્ષાથી તેઓ સંતુષ્ટ થયા. એમ બ્રહ્માની સભાની જેમ વિદ્યાવિનોદ ચાલી રહ્યો છે, એવામાં ચૈત્યવાસીઓના પુરૂષે ત્યાં આવી ચડયા. તેમણે આવીને જણાવ્યું કે –“તમે સત્વર નગરની બહાર ચાલ્યા જાઓ; કારણ કે ચૈત્યબાહ્ય વેતાંબરેને અહીં સ્થાન મળતું નથી.” એમ સાંભળતાં પુરોહિત કહેવા લાગ્યો કે –“રાજસભામાં એ વાતનો નિર્ણય કરવાનો છે. એટલે તેમણે આવીને પુરોહિતનું કથન પોતાના ઉપરીઓને નિવેદન કર્યું. આથી પ્રભાતે તેઓ બધા સાથે મળીને રાજા પાસે ગયા, તે વખતે પુરોહિત પણે ત્યાં આવ્યો, અને તેણે રાજાને જણાવ્યું કે–“હે દેવ ! બે જૈન મુનિ પિતાના પક્ષમાં સ્થાન ન પામતાં મારા ઘરે આવ્યા, એટલે ગુણગ્રાહકપણાથી મેં તેમને મારા ઘરે આશ્રય આપે. એવામાં આ ચિત્યવાસીઓએ ભટ્ટપુત્રોને મારી પાસે મેકલ્યા. માટે આ બાબતમાં મારી કંઈ ગફલત કે અનુચિતતા થઈ હોય, તો આપ મને ઉચિત દંડ કરો.” એ પ્રમાણે સાંભળી દર્શનેમાં સમાન દષ્ટિ રાખનાર રાજા હસીને કહેવા લાગ્યો કે– કોઈ પણ દેશથી આવેલા ગુણી જને મારા નગરમાં રહે, તેનો તમે શા માટે અટકાવ કરે છે ? તેમાં દેષ શો દેખાય છે?” એમ રાજાએ પૂછવાથી તે ચૈત્યવાસીઓ બેલ્યા કે–“હે રાજેદ્ર! સાંભળો પૂર્વે ધનુષ્ય સમાન ઉત્કટ અને શ્રેષ્ઠ વંશમાં વનરાજ નામે રાજા થયો. તેને બાલ્યાવસ્થામાં નાગેન્દ્ર ગચ્છ છે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy