SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ 34. શ્રી પ્રભાવક ચરિત્ર પાદલિપ્તની પ્રાથમિક અવસ્થા મથુરામાં અને પાટલિપુત્રમાં વ્યતીત થાય છે અને તેઓ પોતાની વિદ્યાશક્તિથી પાટલિપુત્રના મુરૂ૩ રાજનું ધ્યાન પોતાની તરફ આકર્ષે છે, તે પછી એ કૃષ્ણરાજના માનખેટમાં લાંબા સમયસુધી રહે છે અને છેવટે પ્રતિષ્ઠાનમાં પોતાના ગુણોને પ્રકાશ કરીને કાઠિયાવાડ તરફ જાય છે અને અને ત્યાંજ આયુષ્ય પૂર્ણ કરે છે. પાદલિપ્તના જીવનના આ ભિન્ન ભિન્ન સંબંધને જરા તપાસીયે. એ આચાર્યના ગુરૂ અયોધ્યા અને મથુરા તરફ અધિક રહેતા હતા. આથી જણાય . છે કે ઉત્તર હિન્દમાં જેની જાહેરજલાલીના સમયમાં પાદલિપ્તને જન્મ થયો હતો. આથી પાદલિપ્ત વિક્રમની પાંચમી સદીની પહેલાંના આચાર્ય હતા એ નિશ્ચિત છે, હવે પાંચમાં સૈકાની પૂર્વે કયા સમયમાં થયાં તે વિચાર કરવાને રહ્યો. પ્રબન્ધમાં તેમજ અનેક ચૂર્ણિ આદિ પ્રાચીન ગ્રન્થમાં લખ્યા પ્રમાણે પાદલિપ્તસૂરિ પાટલિપુત્રના મુરુડ રાજાના માનીતા વિદ્વાન હતા. મુરૂ૩ એ શકભાષાને શબ્દ છે અને એનો અર્થ “સ્વામી’ એવો થાય છે. કુશનવંશી રાજા કનિષ્ક અને એના વંશવાલાઓને અત્રેના લકે “મુરૂશ્ક' ના નામથી ઓળખતા હતા. ભારતવર્ષમાં કુશનવંશનું રાજ્ય વિક્રમ સંવત 97 થી 283 સુધી રહ્યું હતું, પણ પાટલિપુત્ર ઉપર એમની સત્તા કનિષ્કના સમયમાં થઈ હતી એ મતને સત્ય માનીયે તો પાટલિપુત્રમાં વિક્રમ સંવત 177 પછી અને 219 ની વચ્ચે મુરષ્ઠ રાજ્ય થયું એમ માનવું જોઈયે જે મુશ્મ પાટલિપુત્રમાં રાજ્ય કરતો હતો અને જેની સભામાં પાદલિપ્તસૂરિનું માન હતું તે મુરૂષ્ણ કનિષ્ક પિતે તે હેવાનો સંભવ નથી, કેમકે તે - તાની રાજધાની પેશાવરમાં રહેતો હતો જ્યારે પાટલિપુત્રમાં તેનીજ જાતને તેને સૂબો રહેતા હતા. પુરાણમાં મગધના રાજા તરીકે વિશ્વસ્ફટિક, વિશ્વસ્ફરણિ, વિશ્વસ્કૃજિ ઇત્યાદિ નામેથી જે બલિઈ વ્યક્તિનું વર્ણન કર્યું છે તે મુરૂષ્ઠના નામથી ઓળખતા કનિષ્કના આ સૂબાનું જ હોવું જોઈએ, એમ અમારું માનવું છે, વિદ્યાવારિધિ બાખ કાશી પ્રસાદજી જાયસવાલના મત પ્રમાણે આનું શહનામ " વિનસ્ફણિ' હતું; પણ આ વિદેશી નામને બગાડીને પુરાણકારોએ વિચિત્ર બનાવી દીધું છે, આ વિનસ્કૃણિ મુરૂગ્ડની જ રાજસભામાં પાદલિપ્તનો પ્રવેશ હશે એમ અનુમાન કરી શકાય, અને આ અનુમાન ખરૂં હોય તે પાદલિપ્તનું અસ્તિત્વ વિક્રમના બીજા સૈકાના અન્તમાં અને ત્રીજા સૈકાના પૂર્વાર્ધમાં હોવાનું સિદ્ધ થઈ શકે. પાદલિપ્તના દીક્ષાગુરૂ આર્યનાગહસ્તિ હતા, નન્દીની સ્થવિરલીમાં આર્યના હસ્તિ વાચકનું વર્ણન છે, તે સ્થિરાવલીનાં ક્રમ પ્રમાણે આ આચાર્ય 22 માં પુરૂષ હતા, યુગપ્રધાન પટ્ટાવલિમાં પણ ૨૨મી યુગપ્રધાન તરીકે નાગહસ્તિને ગણાવ્યા છે અને તેમને અસ્તિત્વ સમય વિક્રમ સંવત 151 થી 219 સુધીમાં બતાવ્યો છે, અને ઉપર જણાવ્યા પ્રમાણે પાદલિપ્તને સમય પણ લગભગ એ જ અરસામાં આવે છે. કલ્પચૂર્ણિ વિગેરેમાં પાદલિપ્તને પણ " વાચક’ એ પદવીની સાથે ઉલેખ્યા છે. નન્દીવાળા વાચક અને યુગપ્રધાન નાગહસ્તિ એ બંને એકજ હતા અને એજ નાગહસ્તિ વાચક પાદલિન ગુરૂ હતા એમ મારું માનવું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy