SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાદલિપ્તસૂરિ. 33 બ્રાહ્મણો જૈનોના હેલી થયા હતા. જેથી ત્યાંના સંઘે પાદલિપ્તસૂરિને ત્યાં બોલાવ્યા હતા.' આટલા સંબંધ વ્યંજક ઉલ્લેખ સિવાય પાદલિપ્તની સાથે આયખપટ તથા તેમના શિષ્ય મહેન્દ્રનો સંબંધ ઘાતક કોઈ પ્રસંગ નથી. આ ઉપરથી આ પાંચે પ્રબંધ નાયક આચાર્યો સમ સામયિક હશે કે ભિન્નકાલીન તે કહી શકાય તેમ નથી. પાદલિપ્ત કે બીજા કોઈપણ આચાર્યના સત્તા સમય વિષે પ્રબંધકારે ઉલ્લેખ કર્યો નથી, પણ એ પછીના વિજયસિંહસૂરિના પ્રબંધમાં આર્યપટને અસ્તિત્વ સમય બતાવનારી નીચેની આર્યા આપી છે શ્રી વરમુતિ: શત-ચતુષ્ટ થતુતિ સંયુ. वर्षाणां समजायत, श्रीमानाचार्यखपट गुरुः // " આમાં વીર સંવત 484 માં આર્ય ખપટ થયા એમ લખ્યું છે, પણ ખરું જોતાં આ વર્ષ ખપટના સ્વર્ગવાસનું હોવું જોઈએ જે ઉક્ત પદ્યમાં બતાવેલ સમય અને અમારી કલ્પના સત્ય હોય તો આર્યપટનો સમય ભરૂચના બલમિત્ર, ભાનુમિત્રના પાછલા સમયમાં અને નભસેનના પ્રાથમિક સમયમાં આવે છે. ભરૂચ ઉપર પ્રતિષ્ઠાનના સાતવાહનની ચઢાઈ વિષે આ પ્રબંધમાં જે વર્ણન આપ્યું છે તેને સંબંધ પણ પાદલિપ્તના સમયની સાથે નહિ પણ આયંખપટની સાથે જ સંગત થાય છે, કારણ કે બલમિત્રના સમયમાં આયંખપટનું અસ્તિત્વ હતું એટલું જ નહિ પણ આયખપટનું મુખ્ય સ્થાન પણ ભરૂચ જ હતું. સાતવાહનના મંત્રીને પાદલિપ્તને શિષ્ય કહેવા કરતાં આયંખપટનો શિષ્ય કહેવો વધારે સંગત છે. આયંખપટનો વિદ્યાસિદ્ધ તરીકે નિશીથચૂર્ણિમાં બે સ્થલે નિર્દેશ છે. તેમ બીજા પણ પ્રાચીન સાહિત્યમાં આયંખપટનું પૂવોચાર્ય તરીકે વર્ણન હોવાથી એમાં શંકા નથી કે એ મહાપુરૂષ ઘણા જુના છે. એમના સમયમાં પાટલિપુત્રમાં દાહડ નામને મિથ્યાદષ્ટિ રાજા હોવાનું અને તેણે બ્રાહ્મણોને પ્રણામ કરવા જૈન શ્રમણોને આજ્ઞા કર્યાનું વર્ણન પ્રબંધમાં આવે છે, આ હકીકત પણ ઐતિહાસિક સત્યનું પ્રતિપાદન કરનારી જણાય છે. એ સમયમાં પાટલિપુત્રમાં શુંગવંશનું રાજ્ય હતું, તે વંશના રાજાઓએ જૈન અને બૌદ્ધ ધર્મને નાશ કરી વૈદિક ધર્મની ઉન્નતિ કરવાને અનેક ઉપાયો કર્યા હતા અને તેમાં તેઓને સફળતા પણ મળી હતી. સેંકડો વર્ષોથી મગધમાં દઢમૂલ થએલ જૈન અને બૌદ્ધ ધર્મની જડો એ વખતે ઢીલી થઈ હતી અને બ્રાહ્મણોનું પ્રાબલ્ય વધ્યું હતું. આશ્ચર્ય નથી કે દાહડ ' તે આ વંશને છેલ્લો રાજા “દેવભૂતિ' હોય અને પોતાના પૂર્વજોની કરણીનું અનુકરણ કરવા એણે બ્રાહ્મણોને પ્રણામ કરવાને જૈન શ્રમણોને હુકમ કર્યો હોય. શુંગ દેવભૂતિ જે સમયે પાટલિપુત્રમાં રાજ્ય કરતો હતો તે જ સમયે ભરૂચમાં બલમિત્રનું રાજ્ય હતું અને આર્યખપટ અને તેમના શિષ્ય મહેન્દ્ર ત્યાં વિચરતા હતા. આ ઉપરથી જણાશે કે આયખપટ અને મહેન્દ્રની વિદ્યમાનતા વિક્રમના પહેલા સૈકામાં અને એનાથી પણ કંઈક પૂર્વના સમયમાં હતી. P.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy