SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રભાવક ચરિત્ર. પાદલિપ્ત રાજાની આગલ પોતાની તરંગલોલા ( તરંગવતી) કથાનું વ્યાખ્યાન કર્યું. જે સાંભલી પાંચાલ કવિને ઘણી ઈર્ષા થઈ, તેણે કહ્યુંઃ ઐરા અને છોકરાઓ સમજે એવી પ્રાકૃત ભાષામાં બનાવેલી આ કથા પણ્ડિતોનું મનોરંજન કરે તેમ નથી. એકવાર પાદલિપ્ત પ્રાણુ કપાલે ચઢાવીને પોતાનું કપટમૃત્યુ બતાવ્યું, લોકોમાં તેમનું મૃત્યુ થયાના સમાચાર ફેલાયું અને માંડવીમાં શરીર સ્થાપન કરીને સાધુઓ ઉઠાવીને પાઠવવા ચાલ્યા. વાજિત્ર શબ્દપૂર્વક માંડવી પાંચાલ કવિના ઘરની આગલ થઇને ચાલી તે વેલા પાંચાલે પાદલિપ્તના મરણ નિમિત્તે પિતાને શેક પ્રગટ કર્યો અને કહ્યું-- " सीसं कह विन फुटुं, जमस्स पालित्तयं हरन्तस्स / जस्स मुहनिझराओ तरंगलोला नई वढा // " પાંચાલના આ કથન પછી તરત જ આચાર્ય બોલ્યા-પાંચાલના સત્ય કથનથી હું પાછો જીવતે થયો છું,’ આ બનાવથી લોકે ઘણુ હર્ષિત થયા અને ઈર્ષાળુ પાંચાલની નિન્દી થઈ, રાજા પણ આ ગુણષી કવિ ઉપર ગુસ્સે થયો પણ આચાર્યો તેને શાન્ત કર્યો. પાદલિપ્તસૂરિએ દીક્ષા અને પ્રતિષ્ઠાવિધિ વિષયક “નિર્વાણ કલકા” નામને ગ્રન્થ રઓ, જ્યોતિષ વિષયમાં " પ્રશ્નપ્રકાશ " નામના ગ્રંથનું નિર્માણ કર્યું. પ્રબન્ધમાં આ બેજ ગ્રન્થને ઉલ્લેખ છે છતાં સૂત્રોની ચૂર્ણિએમાં પાદલિપ્તકૃત " કાલજ્ઞાન " નામના ગ્રન્થને અનેક સ્થળે ઉલ્લેખ આવે છે. પાદલિપ્તના ગૃહસ્થ શિષ્ય નાગાર્જુનના ગ્રન્થ વિષે અહીં ઉલ્લેખ નથી, પણ “ગરત્નાવલી” “યોગરત્નમાલા,’ ‘કક્ષપુટી' આદિ ગ્રન્થ નાગાર્જુન કૃત મનાય છે. પાદલિપ્તસૂરિએ અન્તિમ સમયમાં શત્રુંજય ઉપર 32 બત્રીશ દિવસના ઉપવાસ કરીને સ્વર્ગવાસ પ્રાપ્ત કર્યો. ઉપર પ્રમાણે પાદલિપ્ત પ્રબંધમાં પાદલિપ્ત ઉપરાન્ત રૂકદેવસૂરિ, શ્રમણસિંહરિ, આર્ય ખપટ અને ઉપાધ્યાય મહેન્દ્ર આ 4 પ્રભાવકોનું પણ વર્ણન આપ્યું છે. આમાં રૂદ્રદેવ અને શ્રમણસિંહને પાદલિપ્તસૂરિની સાથે સીધો કે આડકતરે કશો સંબન્ધ નથી, માત્ર એટલો જ આ સ્થલે સંબંધ બતાવ્યો છે કે જે વખતે પાદલિપ્ત માનખેટ ગયા છે તે જ વખતે આ બંને આચાર્યો પણ ત્યાં ગયા હતા. એ સિવાય પાદલિપ્તની સાથે એમને કંઈ પણ પ્રસંગ જણાતો નથી. . ' આર્ય ખપૂટ અને મહેન્દ્રની સાથે પણ પાદલિપ્તને વિશિષ્ટ સંબંધ જણાતો નથી, આમાં આપેલ આર્ય ખપટની હકીકત એક સ્વતંત્ર પ્રબંધ છે અને આ આખા પ્રબંધ દરમિયાન પાદલિપ્તનો કયાંયે નામોલ્લેખ પણ નથી. છેવટે એ પ્રબંધ પૂરો કરીને પછી લખ્યું છે કે આચાર્ય પાદલિપ્તસૂરિએ ચમત્કારપૂર્ણ શાસ્ત્રોનું અધ્યયન પૂર્વોક્ત ગુરૂ (ખટ) ની પાસે કર્યું હતું. એ ઉપરાંત મહેન્દ્રને સંબંધ જણાવનારે એક આ પણ ઉલ્લેખ છે કે " મહેન્દ્ર પાટલિપુત્રના બ્રાહ્મણોને બળજબરીથી દીક્ષા આપવાના કારણે ભરૂચના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy