SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહેન્દ્ર રિચરિત્ર. ( 7 ) કવીશ્વરને બોલાવીને રાજાએ આશ્ચર્યપૂર્વક પૂછયું. ત્યારે પાનદાનીમાંથી પત્ર લઈને તેણે બતાવ્યું. તેમાં રાજા “ઉપરના ભાગમાંથી જ નીકળશે” એમ લખ્યું હતું. આ તેના સત્ય વચનથી રાજા ભારે આશ્ચર્ય પામે. એક વખતે રાજાએ સેતુબંધ નિમિત્તે પિતાના માણસો મોકલ્યા કે જ્યાં હનુમાને કરેલ પ્રશસ્તિ વિદ્યમાન હતી. તેમાંનાં કાવ્યો લાવવા માટે મત્સ્યની ચરબી આંખે આંજીને મીણની પાટી લઈ તેઓ દરિયામાં પડ્યા. ત્યાં બીજી તેલયુક્ત લાખની પાટી બનાવી તે પ્રશસ્તિપર સારી રીતે તેમણે દબાવી એટલે તેમાંથી કેટલાક અક્ષરો ઉદ્ધરીને તેમણે લખી લીધા. પરંતુ તે રાક્ષસના કુળની જેમ ખંડિત હતા. તે રાજાએ જોતાં હાટમાં પડેલ શાકપત્રોની જેમ ખંડિત અર્થ યુક્ત છતાં અરસિક લાગ્યા. તે કાવ્ય કવિઓને બતાવવામાં આવતાં પિતાની બુદ્ધિ પ્રમાણે તે ચરણ પૂરવા લાગ્યા પણ તેથી રાજાના મનમાં કંઇ આશ્ચર્ય ન થયું. પછી તેમાંથી દ્વિપદી અને ત્રપદી સમસ્યા રાજાએ ધનપાલ કવીશ્વરને પૂરવા માટે આપી. જેમાં દ્વિપદી સમસ્યા આ પ્રમાણે હતી. “શrણ શિક્ષિ નિરેy हरिहरितानि लुठंति गृध्रपादैः" / ધનપાલે તે આ પ્રમાણે પૂર્ણ કરી– . "अयि खलु विषमा पुराकताना विलसति जंतुषु कर्मणां विपाकः" // 1 // જે રાવણના મસ્તકો શંકરના શિરપર શોભતાં હતાં, તે લક્ષમણથી ઘાયલ થતાં ગીધ પક્ષીના પગતળે ચગદાય છે. તેથી ખરેખર ! પૂર્વકૃત કર્મોને વિષમ વિપાક પ્રાણુઓને પાયમાલ કરે છે.” ત્રિપદી સમસ્યા આ પ્રમાણે હતી— " स्नाता तिष्ठति कुंतलेश्वरसुता वारोंगराजस्वसु- ... तेनाद्य जिता निशा कमलया देवी प्रसाद्याद्य च / इत्यंतःपुरचारिवारवनिता विज्ञापनानंतरं" કવિએ ચોથો પાદ આ પ્રમાણે પૂર્યો– "स्मृत्वा पूर्वसुरं विधाय बहुशो रूपाणि भूपोऽभजत्" // 1 // હે રાજન ! સીતાએ સ્નાન કરી દેવીને પ્રસન્ન કરતાં તેણે પિતાની શોભાથી રાત્રિને પણ જીતી લીધી છે, એ પ્રમાણે અંતઃપુરમાં સંચાર કરતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy