SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ (228 ) શ્રી પ્રભાવક–ચરિત્ર. વારાંગનાઓએ વિજ્ઞપ્તિ કર્યા પછી રાજાએ પૂર્વદેવને સંભારી અનેકરૂપ કરીને તેનું સેવન કર્યું.” એ પ્રમાણે સાંભળતાં કીર વિદ્વાન હસીને કહેવા લાગ્યો કે - આત જેનોને ઉચિત વચન છે. કારણ કે તેમના મતમાં કર્મનો વિપાક કહેવામાં આવે છે. વળી આ સમસ્યા૫ત્તિ તે સુજ્ઞોને પ્રમોદ પમાડે તેવી છે. એવામાં ધનપાલ બેલ્યો “હે દેવ ! કહો, કે કીરનો મારા પર રાગ છે? અથવા તે મલિનાંગના સત્યને સૂર્ય પોતે પ્રગટ કરશે. જે મારામાં મનુષ્યત્વ છે, તો બાવન પલના શુદ્ધ ફાલમાં આવા અક્ષરો અવશ્ય કેતરાઈ જશે. એવી હું પ્રતિજ્ઞા કરૂં છું. * એમ સાંભળતાં કૌતકથી રાજાએ તે પ્રમાણે કરાવ્યું. એટલે ફાલ-પાટપર તેવા અક્ષરો કોતરાઈ જવાથી ધનપાલ શુદ્ધ અને શુદ્ધ યશના નિધાનરૂપ તે રાજાને પ્રતીત થયે. કારણ કે સત્ય બાબતમાં કેણુ મત્સર ધરાવે ? એક દિવસે ભોજરાજાએ કવીશ્વરને પૂછયું કે–તમારા જેન–સાધુઓ જળાશયના દ્વારને કેમ સુકૃત માનતા નથી ?" ત્યારે સત્યવ્રત ધનપાલ યથાર્થ વચન છે કે–“જળાશયમાં શીતળ અને ચંદ્રમાના કિરણ સમાન નિર્મળ જળનું ઈચ્છાનુસાર પાન કરી તૃષ્ણા રહિત થતાં પ્રાણીઓ મનમાં પ્રમોદ પામે છે, તે જ જ્યારે સૂર્યના કિરણેથી સુકાઈ જાય છે, ત્યારે તેમાં અનંત જીવો નાશ પામે છે. તેથી કૃપાદિના જળાશાપર યતિજને દાસીન્ય ધારણ કરે છે.” - એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યા–એ તે સત્ય છે. જિનધર્મ ખરેખર સત્યપરજ રચાયેલ છે. પરંતુ વ્યવહારમાં રહેલા લોકોને તે કઈ રીતે રૂચે નહિ.” એટલે રાજમિત્ર ધનપાલ બોલ્યા કે—“પિતાએ મને એવું શીખવ્યું છે અને કંઈક સાંભળવાથી મારા જાણવામાં આવ્યું છે, પણ અજ્ઞજન ન સમજે, ત્યાં શી વાત કરવી ? કારણ કે નરકના સ્થાનરૂપ હિંસાનો ત્યાગ કરે, અસત્ય ન બેલવું, ચોરીને પરિહાર કરવો, વિષયથી વિરક્ત રહેવું અને પરિગ્રહની મૂછ તજી દેવી–એ જૈન ધર્મ જે પાપ પંકમાં પડેલા લોકોને ન રૂચે, એટલે પ્રમેહના રેગવાળાને ધૃત ન ગમે, તેથી શું ધૃતમાં ન્યુનતા આવી જાય છે ?" * પછી ધનપાલ પંડિત સાતે ક્ષેત્રમાં પિતાનું ધન વાપરવા લાગ્યું. તેમાં પણ સંસારથી પાર ઉતારવાના કારણરૂપ ચિત્ય પ્રથમ ગણવામાં આવેલ છે. એમ ધારી. તેણે શ્રી આદિનાથ પ્રભુનું ચૈત્ય કરાવ્યું. ત્યાં શ્રી મહેદ્રસૂરિના હાથે જિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy