SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ R ~ ~ ~ ~~ ~ ~ હું પ શ્રી પાદલિપ્તસૂરિ. હું 4xx0000c0w8 ( પા જ દલિપ્તસૂરિને પ્રબન્ધ તે એક પ્રબન્ધ સંગ્રહ છે, આમાં પાદલિપ્ત ઉપરાન્ત રૂદ્રદેવસરિ, શ્રમણસિંહસૂરિ, આર્યખપટ, મહેન્દ્ર ઉપાધ્યાય અને જ છે નાગાર્જુન સિદ્ધના પ્રબન્ધ પણ આવ્યા છે અને આ બધા મહાપુરૂ ત58 ને સમ સામયિક બતાવ્યા છે. અમે આ પ્રબન્ધનું જુદું જુદુ અવલોકન કરીને તે વિષયમાં ઐતિહાસિક તત્ત્વનું અન્વેષણ કરશું. પાદલિપ્તને જન્મ કેશલાપુરી (અયોધ્યા) માં વિજયબ્રહ્મ રાજાના રાજ્ય કાલમાં થયો હતો. એમના પિતાનું નામ “કુલ્લ શ્રેણી અને માતાનું નામ પ્રતિમા હતું. વૈરોટયા નામની નાગ જાતિની દેવીએ બતાવેલ ઉપાય કરવાથી એમને જન્મ થયો હતો તેથી માતાપિતાએ એમનું નામ " નાગેન્દ્ર ' આપ્યું હતું. નાગેન્દ્રને બાલપણમાં જ એની માતા એ વિદ્યાધર ગચ્છના આચાર્ય આર્યનાગહસ્તિને અર્પણ કર્યો હતો. પણ મહેટ થાય ત્યાં સુધી પાલવાની આચાર્યની ભલામણથી તેને માતાએ પાસે રાખીને 7 વર્ષ સુધી પાલ્યો હતો. 8 મા વર્ષમાં આચાર્યો તેને પિતાને કબજે લીધે અને પિતાના ગુરૂભાઈ સંગમસિંહસૂરિને તેના સંબંધમાં ઉચિત કરવાની આજ્ઞા આપી. નાગેન્દ્રને આઠ વર્ષની અવસ્થામાં દીક્ષા આપીને એની સેવા શુશ્રષા અને અધ્યયનનું કાર્ય મડન નામના ગણિને સોંપવામાં આવ્યું. દીક્ષા આપીને નાચેંદ્રનું શું નામ પાડયું તે જણાયું નથી; પણ એનું પાદલિપ્ત નામ કેમ પડયું તે પ્રબંધકારે જણાવ્યું છે. કહે છે કે નાગેન્દ્રની એવી તીણ બુદ્ધિ હતી કે તે જે સાંભળીને તે તેને યાદ રહી જતું હતું. આવી શીધ્ર પ્રાહિણી બુદ્ધિના પ્રભાવે તેણે એકજ વર્ષની અંદર વ્યાકરણ અને સાહિત્યમાં સારે પ્રવેશ કરી દીધો હતો અને તે સાધારણ કવિતા પણ જોડી કાઢતો. એકવાર તેણે એક ગાથા પોતાની ભિક્ષાચના વર્ણનમાં લખી જેમાં યુવતિસ્ત્રીનું વર્ણન જોઈ ગુરૂએ એને પ્રાકૃત ભાષામાં કહ્યું કે પત્તિોસિ” અર્થાત “તું રાગાગ્નિમાં સલગી ગયો છે” ગુરૂનું એ વાકય સાંભળીને એણે કહ્યું- હે પૂજ્ય ! આ “પવિત્ત શબ્દમાં એક કાને’ વધારી આપવાની કપા કરે કે જેથી હું “પાલિત્ત' પાદલિપ્ત-(પગે લેપ કરનાર) થઈ જાઉં. અને ગુરૂએ એને આશિર્વાદ આપ્યો કે “પાદલિપ્ત ભવ’ આ પ્રમાણે નાગેન્દ્રનું પાદલિપ્ત નામ પડયું. પાદલિપ્તની ચતુરાઈ અને બુદ્ધિથી પ્રસન્ન થઈને આર્યનાગહસ્તિએ દશમા વર્ષે એમને પિતાના ઉત્તરાધિકારી પટ્ટધર તરીકે કામ કરીને મથુરા નગરીએ મોકલ્યા. કેટલોક સમય મથુરામાં રહીને પાદલિપ્તસૂરિએ પાટલીપુત્ર તરફ વિહાર કર્યો. પાટલીપુત્ર નગરમાં આ વખતે મુસષ્ઠ નામક રાજા રાજ્ય કરતો હતો. તેણે પાદ : P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy