SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (r)eeeeeeeeeeeee. ( 3 આર્યાનન્દિલ. BEEBIDRANCSSREDNESS જ છે બન્ડમાં નામ આર્યનન્દિલ લખ્યું છે. તેમજ કેટલીક સ્થવિરાવલીઓમાં પણ એમનું નામ “નન્દિલ' જ જણાવ્યું છે, પણ નન્દિની ભૂલ Wવીરાવલીમાં અને એમના જ રચેલા વૈધ્યાસ્તવમાં “જ્ઞાનન્દ્રિત એવો ઉલ્લેખ હેવાથી હું એમનું ખરૂં નામ “આર્ય આનન્દિલ’ ગણું છું અને એ જ કારણથી શીર્ષકમાં આર્યાનન્દિલ લખ્યું છે. આર્યાનન્દિલ આરક્ષિતના શિષ્ય અથવા તો શિષ્યના શિષ્ય હશે; કારણકે એમને ચરિત્રકારે સાડાનવપૂર્વ ધારક અને “આયરક્ષિતવંચ” લખ્યા છે. જો કે છાપેલ નન્દીચ્છવિરાવલીમાં અને મેરૂતુંગસૂરિ વ્યાખ્યાન સ્થવિરાવલીમાં એમને ઉલ્લેખ આર્યમંગૂની પછી અને નાગહસ્તીની પહેલાં કર્યો છે, પણ મૂલનન્દસ્થવિરાવલીમાં એમનું સ્થાન આયરક્ષિત પછી બતાવ્યું છે. જે મેરૂતુંગની સ્થવિરાવલી અને નન્દીની મુદ્રિત સ્થવિરાવલીને યથાર્થ માનીને આર્યઆનન્દલને મંગના અનન્તર ભાવી સ્થવિર માનીયે તો એમનું આયરક્ષિત વંસ્યત્વે સાબિત થાય તેમ નથી. કેમકે આમંગૂના યુગપ્રધાનત્વને સમય વિ. સં. 51 થી 477 સુધીને હતો, જ્યારે આર્યરક્ષિતને સમય વિ. સં. 544 થી 597 સુધીમાં હતો, આ દશામાં જે આર્યઆનન્દલને મંગૂના પટ્ટધર માનીયે તો તેમને સમય આર્ય રક્ષિતની પૂર્વે લગભગ 100 વર્ષ ઉપર આવે છે અને આવી રીતે તેઓ આર્ય રક્ષિતના વંશ જ નહીં પણ પૂર્વજ ઠરે છે, પણ પ્રબન્ધમાં એમને આર્ય રક્ષિતના વંશજ લખ્યા છે અને એ લખવું સંભવિત પણ છે. તેથી એ મંગૂના પટ્ટધર નહીં પણ માથુરી યુગપ્રધાન પટ્ટાવલીને અનુસાર તે આર્ય રક્ષિત પછીના યુગપ્રધાન સ્થવિર હતા એમ માનવું વધારે સયુતિક છે અને આવી રીતે આરક્ષિતના પૃષ્ઠભાવી ગણતાં એમને સત્તાસમય નિસં. 197 પછીને ઠરે છે. પ્રબન્ધમાં આર્યાનન્દિલને માત્ર એટલો જ ચરિત્ર સંબંધ છે કે તેમણે “વૈરૂટ્યા* નામની એક બાઈને ક્ષમા ધર્મને ઉપદેશ આપીને સુખી બનાવી, તે બાઈ મરીને ધરણેન્દ્ર નાગરાજની તેજ નામની દેવી થઈ. . આર્યાનન્તિલસૂરિની આજ્ઞાકારિણું થઈ એટલું જ નહિ પણ આઠ નાગકુલે પણ આ મહાત્માને આજ્ઞાધીન થયાં, અને આર્યાનંદિલે વૈચ્યાસ્તવની રચના કરી. વૈચ્યા કોણ હતી ? તેને શું દુઃખ હતું અને ક્ષમા રાખવાથી કેવી રીતે તે દુઃખમુક્ત થઈ ઈત્યાદિ હકીકત આ પ્રબન્ધમાં વિસ્તારથી જણાવી છે. વાસ્તવમાં આ પ્રબન્ધને આર્યાનન્દિલ પ્રબન્ધ કહેવા કરતાં વૈચ્યા-પ્રબન્ધ કહેવો વધારે ઉપયુક્ત ગણાય. આ પ્રબંધમાં એક સાથે આવતાં પદ્મિનખંડપત્તન, પદ્મપ્રભરાજા, પદ્માવતી રાણી, પદ્રદત્તશ્રેણી; પદ્મયશા ભાય, પદ્માભિધ પુરા આ બધા પકારાદિના ઐતિહાસિક હશે કે કવિકલ્પિત તે જાણવું અશકય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy