SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હરિભદ્રસૂરિ–ચરિત્ર. એટલે ગુરૂએ તે બંને શિષ્યને કહ્યું કે –“હવે તમને હિત કહેવું, તે ઉચિત નથી, જે થવાનું હશે તે થશેજ. માટે ઉત્તમ કે નિંદિત જે તમને ઈષ્ટ હોય, તે કરો.” પછી ગુરૂના નૈરવ અને ઉપદેશની અવગણના કરી જૈન લિંગને અતિશય ગુપ્ત રાખીને તે બંને બૌદ્ધોના નગર ભણું ચાલ્યા, કારણ કે ભવિતવ્યતાનો નિગ ફરતો નથી. કેટલાક દિવસ પ્રયાણ કરતાં તે બંને યેગીના વેશે બૈદ્ધમતની રાજધાનીમાં પહોંચ્યા, અને અભ્યાસની ભારે ઉત્કંઠાથી તે બે મઠમાં ગયા. ત્યાં ભણવા આવનારને ભેજનાદિકની સગવડ માટે એક મોટી દાનશાળા હતી, અને શૈદ્ધાચાર્ય ત્યાં શિષ્યોને ઈચ્છાનુસાર નિરંતર અભ્યાસ કરાવતો હતો. એટલે અતિ સુખ પૂર્વક ભેજન મળવાથી અત્યંત વિષમ બૈદ્ધ શાસ્ત્રોનો અભ્યાસ કરતાં, પરમતના વિદ્વાનેને દુર્ગમ્ય એવા અર્થતત્વને પણ તેઓ પોતાની કુશળતાથી સુખે જાણું શકયા. જિનમતના શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધાચાર્યની હીનમતિથી જે દૂષણે બતાવવામાં આવ્યાં, પોતાના આગમ પ્રમાણેને લઈને બારીકાઈથી તુલના કરતાં તેને ત્યાગ કરી અને જૈન તર્કની કુશળતાથી બદ્ધાગમનું ખંડન કરનારા શુદ્ધ હેતુઓ તેમણે બીજા પત્ર પર લખી લીધા, એમ જેટલામાં તેઓ એકાંતમાં લખતા હતા, તેવામાં સપ્ત પવન લાગવાથી તે પત્ર તેમના હાથમાંથી ઉડી ગયું અને તે બીજાઓને હાથ ચડયું, એટલે તેમણે તે બંને પત્રો ગુરૂની આગળ જઈને મૂક્યા. ત્યાં પોતાના તર્કમાં ઉદગ્ર દૂષણો અને જૈન સંબંધી દૂષણોના પક્ષમાં અજેય એવીહેતુ દઢતાને જોતાં તેને પિતાના મનમાં મોટો ભ્રમ થઈ પડ્યો. પછી ભારે વિસ્મય પામતાં બોદ્ધાચાર્ય કહેવા લાગ્યો કે અહીં કોઈ જિનમતને ઉપાસક ભણવા આવેલ છે, નહિ તો મેં દુષણ આપેલ શાસ્ત્રને ફરી અન્ય કેણ નિર્દોષ કરવાને સમર્થ થઈ શકે? હવે એને શોધી કહાડવાને શો ઉપાય લે? એમ તે વિચારમાં પડ્યો. કારણ કે કઈ વાર આવા કાર્યમાં વિદ્વાનોની મતિ પણ સ્કૂલના પામે છે. એવામાં મિથ્યા-આગ્રહ રૂપ સમુદ્રને ઉછાળવામાં પૂર્ણ ચંદ્ર સમાન તેને બુદ્ધિ પ્રગટ થઈ. એટલે તેણે પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું કે “દ્વાર આગળ રસ્તા પર એક જિનબિંબને સ્થાપન કરે. તેના શિર પર પોતાના પદયુગલ રાખીને દરેક જને ત્યાંથી ગમન કરવું; આ મારૂં વચન જે પ્રમાણે ન કરે, તેણે મારી પાસે અભ્યાસ કરે નહિ. ગુરૂના એ વચન પ્રમાણે તે બધા ઉશૃંખલ બૈદ્ધોએ વર્તન કર્યું. - એવામાં તે હંસ અને પરમહંસ ખેદપૂર્વક વિચાર કરવા લાગ્યા કે–અહો! આપણા પર મોટું વિકટ સંકટ આવી પડયું. જે એ બિબના મસ્તક પર ભક્તિને લીધે આપણે પગ ન મૂકીએ, તે જાણવામાં આવી જઈશું, અને તેથી એ નિર્દય મનના પાઠક થકી ફરી જીવવાની આશા રાખવી નકામી છે. સદ્દગુરૂ શ્રી હરિભદ્ર સૂરિના ચરણમાં આપણે બલિદાન રૂપ થઈ જઈએ કે જેમણે પૂર્વે ભવિષ્યના અનિષ્ટને વિચાર કરીને આપણું ગમનને પ્રતિષેધ કરતા હતા. તે અવિનયનું T P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy