SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર (15) રવા લાગ્યા કે “અહો ! આ તો તેજ વિપ્ર લાગે છે કે જે પોતાના શાસ્ત્ર અને મંત્રોમાં ભારે બુદ્ધિમાન, રાજમાન્ય અને યશસ્વી તરીકે પ્રખ્યાત છે. વળી મદન્મત્ત ગજરાજે રાજમાર્ગ રોકતાં ભ્રમના વશથી જે જિનમંદિરમાં આવ્યું હતું અને અભિમાનથી ઓતપ્રોત બનેલ એ જિનેશ્વરને જોઈને સોપહાસ વચન બેલ્યો હતો, પરંતુ અત્યારે અકસ્માત્ જિનમંદિરમાં એ જિનભવનમાં આવ્યું અને આદરથી જિનબિંબને જોતાં અંતરમાં અત્યંત આનંદ પામીને એ પ્રથમનું સ્તવન બીજી રીતે બે ઠીક છે, હવે આગળ શું થાય છે તે જોવાનું છે.” એમ ચિંતવીને આચાર્ય મહારાજે તે પુરોહિતને બોલાવ્યા કે –“હે અનુપમ બુદ્ધિના નિધાન! તને કુશળ છે? કહે, અહીં આવવાનું શું પ્રયોજન છે?” ત્યારે પુરોહિત વિનીત ભાવથી બોલ્યો - હે પૂજ્ય શું હું અનુપમ બુદ્ધિનિધાન છું? જેન વૃદ્ધ સાધ્વીનું એક વચન સાંભળ્યા છતાં તેને હું અર્થ નજ સમજી શક; ઈતર શાસ્ત્રોપર મેં વિચાર તો કર્યો છે, પરંતુ તે વૃદ્ધાએ કહેલ ચકી-કેશને કેમ હું સમજી શકતો નથી, તો આપ કૃપા કરીને તેને અર્થ મને સમજાવે.” એટલે ગુરૂ કહેવા લાગ્યા–“હે ભદ્ર! હે સુકૃતમતિ ! દીક્ષા અંગીકાર કરી અને આગમને અનુસરતી કેટલીક તપસ્યા આદરીને તું જિનસિદ્ધાંતના વિચારની વ્યવસ્થા સાંભળ. ભારે વિનયપૂર્વક વંદનાદિ કરતાં જ જેન શાસ્ત્રને બોધ થાય તેમ છે, અન્યથા તેનું રહસ્ય સમજવામાં ન આવી શકે, માટે ઉતાવળ ન કરતાં ઉચિત ક્રિયાનું આચરણ કર.” એ પ્રમાણે ગુરૂના કહેવાથી હરિભદ્ર પુરોહિતે ગૃહસ્થ-વેષ તજ, લેચ કરી પિતાના પરિજનોની સમક્ષ સમસ્ત પરિગ્રહને ત્યાગ કરીને ગુરૂની પાસે તેણે ચારિત્ર લઈ લીધું. પછી ગુરૂ મહારાજે હરિભદ્ર મુનિને કહ્યું કે –“હે ભદ્ર! આગમમાં પ્રવીણ, બધી જૈન સાધ્વીઓમાં અગ્રેસર એવી એ યાકિની નામે મહત્તરા સાધ્વી મારા ગુરૂની ભગિની છે.” ત્યારે પુરોહિત મુનિ બેલ્યા–“નવા નવા શાસ્ત્રોમાં પ્રવીણ છતાં મને એણે મૂર્ખ બનાવ્યું. અત્યંત સુકૃતના ગે કુળદેવતાની જેમ એ ધર્મ માતાએ મને પ્રતિબંધ પમાડો.” પછી સાધુધર્મના સારને જાણ મહાવ્રતની ધુરાને ધારણ કરવામાં સમર્થ એવા તે મુનિએ પ્રવર્તમાન આગના સારને જાણવાની ઈચ્છાથી ગુરૂ મહારાજ ને નિવેદન કરતાં જણાવ્યું કે– હે ભગવન ! આટલા દિવસ તો અધિકરણશાસ્ત્રને અનુસરતાં અત્યંત ચપળ થઈને મેં ગુમાવ્યા, તે જાણે મદ્યપાનને પ્રગટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy