SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વાદીદેવર્સિ હવે તમારા ગુરૂનું આયુષ્ય કેવલં 8 મહીનાનું શેષ છે, માટે તમે પાછા પાટણ તરફ ચાલ્યા જાઓ” આથી આચાર્ય પાછા ગુજરાત તરફ વિહાર કરી પોતાના ગુરૂ પાસે આવ્યા. આ વખતે દેવબોધ નામક ભાગવત વિદ્વાન પાટણમાં આવ્યો અને તેણે પાટણના વિદ્વાનોને ઉદ્દેશીને એક શ્લોક લખ્યો અને એને અર્થ કરવા ચેલેંજ કરી, તે શ્લોક નીચે પ્રમાણે હતે. દ્વિત્રિવતુ%-ivમેમને 7 વ: | देवबोधे मयिक्रुद्वे षण्मेनकमनेनकाः // " છ મહીના સુધી કઈ વિદ્વાને આનો અર્થ ન ઉકેલ્યો ત્યારે અપ્રસાદે મંત્રિએ એ કાર્ય માટે રાજાને દેવસૂરિનું નામ સૂચવ્યું, અને રાજાના આમત્રણથી સૂરિએ ત્યાં જઈને પૂર્વોક્ત શ્લોકની સ્પષ્ટાર્થ વ્યાખ્યા કરી સંભલાવી. પાટણના શ્રાવક બાહડે પિતાના દ્રવ્યનો સદુપયોગ કઈ રીતે થાય તે માટે દેવસૂરિની સલાહ પૂછી, આથી તેમણે જિનમંદિરનો ઉપદેશ કર્યો જે ઉપરથી બાહડે ત્યાં મહેટું જિનચૈત્ય કરાવ્યું અને વર્ધમાનજિનની પ્રતિમા તૈયાર કરાવી. સં. 1178 માં મુનિચન્દ્રસૂરિએ આરાધનાપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું અને સં. 1179 માં પૂર્વોક્ત બાહડે કરાવેલ છનત્ય અને પ્રતિમાની દેવસૂરિએ પ્રતિષ્ઠા કરી. તે પછી દેવસૂરિએ મારવાડમાં વિહાર કર્યો, નાગરમાં આહાદન રાજા દેવસૂરિની મુલાકાતે આવ્યો અને તેજ વેલા પૂર્વોક્ત દેવબોધ પણ દેવસૂરિ પાસે આવ્યો અને તેમની પ્રશંસા કરી, આ ઉપરથી આલ્હાદન રાજાને દેવસૂરિના ગુણને પરિચય થયો અને તેણે ભક્તિપૂર્વક આચાર્યને પિતાના નગરમાં રાખ્યા, એ દરમિયાન ગૂર્જરેશ સિદ્ધરાજ આલ્હાદન ઉપર ચઢાઈ કરીને આવ્યો અને નગરને ઘેરે ઘાલ્યો પણ જ્યારે તેના સાંભલવામાં આવ્યું કે દેવસૂરિ નગરમાં છે તે તેણે ઘેરે ઉઠાવી લીધું અને તેના સાથે પાછો પાટણ ચાલ્યો ગયો અને તે પછી દેવસૂરિને પણ પાટણ બોલાવી લીધા, અને તે પછી ફરિ આલ્હાદન ઉપર તેણે ચઢાઈ કરીને કિલ્લો ગ્રહણ કર્યો. એક વાર દેવસૂરિ કર્ણાવતીમાં ત્યાંના સંઘના આગ્રહથી વર્ષોમાસું રહ્યા, તેજ ચોમાસું દિગમ્બર ભટ્ટારક કુમુદચન્દ્ર કે જે કર્ણાટકના રાજા જયકેશિને ગુરૂ હતા તે પણ કર્ણાવતીમાં રહ્યો હતો, તેણે દેવસૂરિની અનેક પ્રકારે છેડછાડ કરી પણ તેમણે સમતા રાખીને બધું સહન કર્યું, પણ જ્યારે તેણે મર્યાદા મૂકીને પેલે દહાડે દેવસૂરિના ગચ્છની વૃદ્ધસાધ્વીને હેરાન કરી ત્યારથી તેમણે તેની સાથે પાટણમાં સિદ્ધરાજની સભામાં વાદ કરવાનો નિશ્ચય કર્યો, અને આ કાર્ય સંબધી પાટણના સંધને વિજ્ઞાપન પત્ર લખીને ખબર આપી, ત્રણ પહેરમાં પત્રવાહક પાટણ પહોંચ્ય, દેવસૂરિને પત્ર વાંચીને સંઘે દેવસૂરિની ઈરછાનું અનુમોદન કર્યું અને તેને અંગે બધું કરવાનું માથે લીધું. તે પછી દેવસૂરિએ પિતાના સંદેશવાહકની મારફત કુમુદચન્દ્રને કહેવરાવ્યું કે “અમે P.P. AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy