SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રભાવ ચરિત્ર, સુખડીયાને બંધ કરતો હતો. તેનું ભાગ્ય એવું પ્રબલ હતું કે તે સેકેલા ચણા આપીને ધનવાનોને ત્યાં દ્રાક્ષા મેળવતો હતો. મુનિચન્દ્રસૂરિએ આ ભાગ્યવાન બાલકને પિતાનો શિષ્ય કરવાનો વિચાર કરીને વરનાગ પાસે એની માંગણી કરી, પૂર્ણચન્દ્ર માતાપિતાને એક જ પુત્ર હતો છતાં વીરના પિતાના ગુરૂની પ્રાર્થનાનો ભંગ કરી ન શકો અને તે બોલ્ય-પૂજ્ય ? “મહારે એ વૃદ્ધાવસ્થાને એક આધાર છે, પણ આપના આગ્રહને હું લેપી શકતું નથી, જે આપની એવીજ ઇચ્છા હોય તો આ બાલક આપનોજ છે, મહારે કંઈ પણ વિચાર કરવાનું નથી.’ આના ઉત્તરમાં આચાર્ય મુનિચન્ટે કહ્યું - મહાભાગ! મહારા ગચ્છમાં 500 સાધુઓ છે તે બધા આ હારા પુત્રના પુત્ર જેવા હા. એ પછી મુનિચન્ટે સં. 1152 માં પૂર્ણચન્દ્રને 8 વર્ષની વયમાં દીક્ષા આપીને તેનું ‘રામચન્દ્ર નામ પાડયું. પૂર્ણચન્દ્રની દીક્ષા પછી એનાં માતાપિતાની જીવનપર્યન્ત સારસંભાલ ભરૂચના શ્રાવકગણે કરી. આચાર્ય મુનિચન્દ્ર વાદિવેતાલ શાન્તિસૂરિ પાસેથી જે પ્રમાણશાસ્ત્રને વિશાલ બોધ પ્રાપ્ત કર્યો હતો તેને સંપૂર્ણ ખજાને પિતાના શિષ્ય રામચન્દ્રને અર્પણ કર્યો, રામચન્દ્ર દિલ ખોલીને તર્કશાસ્ત્રને અભ્યાસ કર્યો અને તેનું સંપૂર્ણ રહસ્ય તેઓ પી ગયા અને એનું પરિણામ પણ અનુરૂપ જ આવ્યું, આચાર્યપદની પ્રાપ્તિ પૂર્વે તેમણે અનેક ઉભટ વાદિયાને મુકાબલો કર્યો ને વિજય મેળવ્યો. પ્રબન્ધકારે આપેલ યાદી પ્રમાણે એમણે ધોલકામાં બન્ધ નામના દૈતવાદી શૈવવાદીને છો, કાશ્મીરસાગર અને સાચારમાં વાદ કરીને જીત મેળવી, નાગોરમાં ગુણચન્દ્ર દિગમ્બરને, ચિત્તોડમાં ભાગવત શિવભૂતિને, ગવાલિયરમાં ગંગાધરને, ધારામાં ધરણુંધરને, પિકરણમાં પદ્માકરને અને ભરૂચમાં કૃષ્ણનામક વિદ્વાનને છો, આમ રામચન્દ્ર અનેક વાદિયેને પરાજય કરીને ચારેતરફ પિતાની ખ્યાતિ જમાવી દીધી. વિમલચન્દ્ર, હરિશ્ચન્દ્ર, સેમચન્દ્ર, પાર્ધચન્દ્ર, કુલભૂષણ, શાતિ અને અશોકચન્દ્ર એ સાત રામચન્દ્રના વિદ્વાન મિત્ર હતા. રામચન્દ્રની ગ્યતા જોઈ ગુરૂએ તેમને સં. ૧૧૭૪માં આચાર્ય પદ આપ્યું અને તે સમયે તેમનું દેવસૂરિ” એ નામ સ્થાપન કર્યું અને એજ અવસરે વીરનાગની બહેન જે પૂર્વે સાધ્વી થયેલ હતી તેણીને મહત્તરાપદ આપીને “ચન્દનબાલા” નામ આપ્યું. વાદિ દેવસૂરિએ ધોલકામાં ત્યાંના રહેવાસી ઉદયશ્રાવકે કરાવેલ ઉદારસહિ” નામક ચિત્યની સીમધર સ્વામિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. એકવાર દેવસૂરિ મારવાડ તરફ વિહાર કરતા આબુ આવ્યા અને મંત્રી અખાપ્રસાદની સાથે ઉપર ચઢયા. કર્મયોગે ત્યાં અપ્રસાદને સર્પદંશ થયો પણ પોતાના ચરણોદકથી તેમણે મંત્રીને નિર્વિષ કર્યો તે અવસરે દેવસૂરિને અખાદેવીએ કહ્યું કે “હે આચાર્ય ! આ વખતે તમે સપાદલક્ષ દેશ (સાંભર તરફને પ્રદેશ) તરફ વિહાર ન કરે, કારણ કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy