SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપ્રભાવક ચરિત્ર. પાટણમાં રાજસભા સમક્ષ તમારી સાથે વાદ કરશું, માટે પાટણ આવી જવું, અમે પાટણ જઈયે છીયે.” તે પછી દેવસૂરિએ શુભ સમયમાં પાટણ તરફ વિહાર કર્યો અને સમહોત્સવ પાટણનગરમાં પ્રવેશ કર્યો. કુમુદચન્દ્ર પણ કર્ણાવતીથી પાટણ તરફ વિહાર કર્યો અને તેના પક્ષવાલાઓએ તેને નગરપ્રવેશ કરાવ્યું. આ વખતે થાડ અને નાગદેવ નામના દેવસૂરિના ભક્ત શ્રાવકેએ આ કાર્યને અંગે દ્રવ્યની જરૂર હોય તો ખર્ચ કરવા દેવસૂરિને પોતાની ઈચ્છા જણાવી પણ આચાર્ય આ કામને અંગે દ્રવ્ય ખર્ચ કરવાની જરૂરત નથી એમ જણાવ્યું, જે ઉપર થાહડે કહ્યું કે “કુમુદચન્દ્ર દ્રવ્ય પ્રયોગથી ગાંગિલમંત્રી વિગેરેને પિતાના પક્ષમાં લઈ લીધા છે” પણ દેવસૂરિએ તે ઉપર કંઈપણ ધ્યાન આપ્યું નહિ અને કહ્યું કે “આમાં દ્રવ્ય ખર્ચવાની કશી જરૂરત નથી, દેવગુરૂની કૃપાથી બધું સારૂં થશે.' કુમુદચન્દ્રના પક્ષમાં “કેશવ' નામના ત્રણ વિદ્વાનો અને બીજા કેટલાક સાધારણ મનુષ્ય હતા, જ્યારે દેવસૂરિના પક્ષમાં મહાકવિ શ્રીપાલ” અને “ભાનુ’ આ બે વિદ્વાનો હતા. મહર્ષિ, ઉત્સાહસાગર અને રામ આ ત્રણ વિધાન સભાપતિના સલાહકાર સભ્યો હતા. સં. 1181 ના વૈશાખ શુદિ પૂર્ણિમાને દિવસે વાદિપ્રતિવાદિઓને સિદ્ધરાજે વાદશાલામાં બેલાવ્યા. સ્ત્રીનિર્વાણુના વિષયમાં શાસ્ત્રાર્થ થયો અને દેવસૂરિની જીત થઈ, જો કે ગાંગિલમંત્રી જેવા મહેટા રાજ્યાધિકારિયને કુમુદચન્દ્ર પિતાના પક્ષમાં કરી લીધા હતા છતાં સભાપતિ અને સભ્યોએ નિષ્પક્ષપણે દેવસૂરિની છત કબુલ કરી અને તેમને જયપત્ર અર્પણ કર્યું અને એકરાર પ્રમાણે પરાજિતવાદી કુમુદચન્દ્રને પાટણ છોડી જવાની આજ્ઞા આપી. | દેવસરિની આ યાદગાર જીતની હેમચન્દ્રસૂરિ, શ્રી ચન્દ્રસરિ, રાજવૈતાલિક આદિ વિદ્વાનોએ સુન્દર પવોમાં પ્રશંસા કરી હતી. આ જાતના પારિતોષિક તરીકે રાજાએ એક લાખ રૂપિયા દેવસૂરિને આપવા માંડયા હતા પણ તેમણે લીધા નહિ તેથી રાજાની આજ્ઞાથી મંત્રિએ તે દ્રવ્યથી ઋષભદેવનું ચૈત્ય અને પ્રતિમા કરાવી અને સં. 1183 માં ચાર આચાર્યોના હાથે તેની પ્રતિષ્ઠા થઈ. દેવસૂરિએ કેટલા પ્ર-થે બનાવ્યા તે ચોક્કસ જણાયું નથી પણ " પ્રમાણનયતત્તાલોકાલન્કાર” અને તેના બહત વિવરણ રૂપે લખેલ “સ્યાદ્વાદરત્નાકર” નામનું પ્રમાણ શાસ્ત્રને આકર ગ્રન્થ વિદ્વાનોમાં ઘણે પ્રસિદ્ધ છે, “સ્યાદ્વાદરત્નાકર' ગ્રન્થ અને એની ભાષા ઉપરથી વિદ્વાનને દેવસૂરિની પ્રૌઢવિદ્વત્તા અને સંસ્કૃત ઉપરના પ્રભુત્વને પરિચય મલે છે. વાદિદેવસૂરિએ સંપૂર્ણ 83 વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને પિતાની પાટે ભદ્રેશ્વરસૂરિ નામના આચાર્ય સ્થાપીને સં. 1226 ના શ્રાવણ વદિ 7 અને ગુરૂવારે દિવસના પાછલા ભાગમાં આયુષ્ય પૂર્ણ કર્યું હતું. દેવસૂરિના શિષ્યગણમાં ભદ્રેશ્વરસૂરિ, રત્નપ્રભસૂરિ અને માણિજ્ય એ અધિક પ્રસિદ્ધ P.P. Ac Sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy