SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્શ્વનાથને પૂર્વભવ.. દીક્ષા લઈ પર્વત પર જઈને તપ કરવા લાગ્યું, અને તાપસની સેવા, કરવા લાગ્યા. * - હવે અહીં પોતાના જ્યેષ્ઠ બંધુ કમઠને દારૂણ વૃત્તાંત સાંભળીને મરૂભૂતિને કઈ સ્થાને ચેન પડતું નહિ. જેમ કેટરમાં રહેલા અગ્નિથી વૃક્ષ અંતરમાં બળ્યા કરે તેમ મરૂભૂતિ મનમાં બળવા લાગે. એકદા તેણે લકવાયકાથી સાંભળ્યું કે-કમઠ શિવતાપસની પાસે તાપસ થયું છે. એટલે મરૂભૂતિએ વિચાર કર્યો કે “વિપાકમાં ક્રોધનું ફળ અતિ ભયંકર છે. કહ્યું છે કે-સંતાપને વિસ્તારનાર, વિનયને ભેદનાર, મિત્રાઈને દવંસ કરનાર, ઉદ્વેગને ઉત્પન્ન કરનાર, અવદ્ય વચન અને કળિને નીપજાવનાર, કીર્તિને કાપનાર, દુર્મ તિને આપનાર, પુણ્યદયને હણનાર તથા કુગતિને આપનાર એ સદેષ રેષ સંત જનેને ત્યાજ્ય જ છે.” વળી “દાવાનળ જેમ વૃક્ષ ને બાળે તેમ ધર્મને જે ભસ્મીભૂત કરે છે, હાથી જેમ લતાને ઉખેડી નાખે તેમ નીતિનું જે ઉછેદન કરે છે, રાહુ જેમ ચંદ્રમાની કળાને મલિન કરે તેમ મનુષ્યની કીર્તિને જે મલિન કરે છે, વાયુ જેમ મેઘને વિખેરી નાખે તેમ જે સ્વાર્થને વિખેરી નાંખે છે તથા ગરમી જેમ તૃષાને વધારે તેમ જે આપત્તિને વધારે છે એવો અને દયાને લેપ કરનારે એ કેધ કર શીરીતે ઉચિત ગણાય?” કરડ અને ઉકરડમુનિની જેમ ક્રોધનું ફળ મહા હાનિકારક જાને સંવેગવાન મરૂભૂતિ વળી મનમાં વિચારવા લાગ્યું કે“હું કોઈ રીતે પણ કમઠ પાસે જઈને તેને ખમાવું.” એમ મનમાં વિચારીને તેણે રાજાને કહ્યું કે-“હે સ્વામિન્ ! વનમાં જઈને હું કમઠને ખમાવું.” એમ કહી રાજાએ વાર્યા છતાં કમઠને ખમાવવા મરૂભૂતિ વનમાં ગયે. ત્યાં તેના ચરણે પડીને તે સગદગદ બે કેભ્રાતા ! તમારે ક્ષમા કરવી. ઉત્તમ જને પ્રણામ પર્યત જ ક્રોધ કરે છે. મારે અપરાધ ક્ષેતવ્ય છે. આ પ્રમાણે તેના પ્રણામ અને પ્રેમથી ઉલટે કમઠને તીવ્ર ક્રોધ ઉત્પન્ન થયે; એટલે તપાવેલા તેલમાં 1 પાપકારી વચન 2 ફ્લેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy